Mysamachar.in-જામનગર
જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ આવેલ અનાથ બાળ ગૃહ કે જે કારગીલ શહીદ વીર રમેશભાઈ વિક્રમભાઈ જોગલ યુવા મંડળ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા સંચાલીત “અનાથ બાળ ગૃહ” નો ગઈકાલ રવિવારથી પ્રારંભ થયો છે, સંસ્થાના પ્રમુખ હમીરભાઈ વિક્રમભાઈ જોગલ તેમજ તેમના પરિવાર ધ્વારા શરુ કરવામાં આવેલ છે. કે જે “અનાથ બાળ ગૃહ” ની અંદર માતા પિતા ની છત્રછાયાથી વંચીત હોય અને નિરાધાર અનાથ બાળકોને આ “અનાથ બાળ ગૃહ” ખાતે વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે,
“અનાથ બાળ ગૃહ” અનાથ તથા નિરાધાર બાળકોના ભવિષ્યનો વિકાસ તથા ભણતરના ક્ષેત્રે વિકાસ થાય અને બૌધિક વિકાસ થાય અને ઉતરોતર તેઓના વિકાસ અર્થે પ્રગતિ થાયતે હેતુસર આ બાળગૃહ શરુ કરવામાં આવ્યાનું હમીરભાઈ જોગલે જણાવ્યું હતું, સર્વે સમાજમાં આ સંસ્થા થકીઍક અનાથ બાળ ગૃહની શરૂઆત કરીયે છેએ. આ બાળ ગૃહ ઍક એવી વ્યક્તિના સ્મરણ માટે શરૂ થાય છે, જે સમાજ માટે અને આ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરેલ છે, એ વ્યક્તિ છે કાગીલ શહીદ વીર રમેશભાઈ વિક્રમભાઈ જોગલ, જેઓનો જન્મ તા 01-06-1980 ના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનાં મેવાસા ગામમાં થયેલ હતો.
તેઓ ઈ.સ 1999માં પાકિસ્તાન સાથે થયલ યુદ્ધમાં માં ભોમની રક્ષા કરતાં કરતાં સામી છાતીએ લડતા-લડતા શહીદ થયેલ, 19 વર્ષ ની નાની વયે વીર રમેશભાઈ જોગલ માં ભોમની રક્ષા કરતાં શહીદ થયેલ છે. આ શહીદ પરિવારની ઍક આવી ભાવના છે કે આ વીર સપૂતની યાદમાં ઍક એવી સામાજિક પ્રવૃતિ કરવામાં આવે જેથી કરીને સમાજમાં માં ભોમની રક્ષા કરવાની ઈચ્છાં હર હમેશ જીવંત રહે.
વીર રમેશભાઈ જોગલની યાદમાં આ અનાથ બાળ ગૃહ શરૂ કરવામાં આવે છે, જેનું મુખ્ય કાર્યસમાજ માં વસતા અનાથ બાળકોનું ભરણ પોષણ અને શૈક્ષણીક વિકાસ કરવાનું છે જેથી કરીને આવા બાળકો સમાજમાં સ્વમાન સાથે પોતાનું જીવન જીવી શકે અને સમાજ તેમજ દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના તેઓમાં બાલ્યઅવસ્થાથી જ વિકસે, આવા ઉતમ ઉદેશ સાથે સંસ્થા દ્વારા આ બાળગૃહની શરૂઆત કરાઈ છે.