Mysamachar.in-જામનગર:
ભારત સરકારનું સ્વીકૃત ચલણ હોય તે કોઈપણ વેપારી, ફેરીયા, દુકાનદાર કે પછી કોઈપણ સ્વીકારવાની ના પાડે તો તેની ફરિયાદ કરી શકાય છે, જામનગર શહેર અને જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બજારોમાં વેપારીઓ અને પાન ગલ્લાની લારીઓ વાળાઓ લાંબા સમયથી રૂ. દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે,
આ અગાઉ પાંચની નોટ માટે પણ આવો બિનસતાવાર પ્રતિબંધ આવ્યો હતો અને હવે જામનગર સહિતની બજારોમાં દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ સંજોગોમાં અગાઉ પણ આવી ફરિયાદો સામે આવી હતી અને ફરી આવી ફરિયાદો ઉઠી રહી છે,
ભારત સરકારનુ નાણુ હોય તેની કોઇપણ વેપારી લેવાની ના કહી શકે નહિ અને જોઇ કોઇપણ વેપારી કે દુકાનદાર આ દસના સિક્કા લેવાની ના પાડે તો જિલ્લા કલેકટરમાં ફરીયાદ કરી શકાય છે. આરબીઆઇનુ ચલણ દરેક જિલ્લામાં ચાલે છે.
જે વેપારી ગ્રાહકો પાસેથી દસનો સિક્કો ભારત સરકારનુ નાણુ હોય તે લેવાની ના પાડે તો ગ્રાહક વેપારી સામે ફરીયાદ જિલ્લા કલેકટરમાં કરી શકે છે.
આરબીઆઇ અને કલેકટરને અગાઉ રજુઆત કરવામાં આવી હતી. વેપારી ભારત સરકારના નાણાનો સ્વીકાર કરવાની ના પાડે તો ગ્રાહકોએ જાગૃત જવુ જોઇએ ગ્રાહકો પાસેથી વેપારી સિક્કા ન સ્વીકારે તો ગ્રાહકો પણ ધ્યાન દોરવુ જોઇએ તેવી જ રીતે વેપારી પાસેથી કોઇપણ બેંક આ સિક્કા ન સ્વીકારે તો તે બાબતનુ કલેકટરને ધ્યાન દોરવુ જોઇએ પરંતુ સ્વીકૃત ચલણનો અસ્વીકાર ચલાવી શકાય નહી.