Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં જમીન રિ-સર્વેમાં માપણીની અરજીનો દોઢ-બે વર્ષે નિકાલ થઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે,આમ તો એક દાયકાથી પણ વધુ સમયથી રીસર્વે કામગીરી પુરૂ થવાનુ નામ જ લેતી નથી.જામનગરના જમીન રી-સર્વેની કામગીરીમાં ઢીલાસના અનેક દાખલા મોજુદ છે, તેવી જ રીતે એક જ દાખલો માત્ર ઉદાહરણ પુરતો જોઇએ તો લાલપુરના ખટિયા ગામમાં જમીન માપણીના કિસ્સામાં દોઢ વર્ષે અરજીનો નિકાલ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જો કે,રી-સર્વેની કામગીરી અંતર્ગત હજુ અનેક અરજી પેન્ડીંગ હોય કચેરીના ધકકા ખાઇ અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે.
રાજયમાં જમીન રી-સર્વેની કામગીરીમાં જામનગર જિલ્લાની પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી હતી.પરંતુ રી-સર્વેની કામગીરીમાં ગોટાળાની ભરમારથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં.આ સ્થિતિ હજુ સુધરી નથી અને સમસ્યા આજની તારીખે યથાવતની ફરિયાદો ખેડૂતોમાંથી ઉઠી છે. જમીન માપણીથી ખેડૂતો તોબા પોકારી ગયા છે ચાર હજારથી વધુ તો ફેર માપણીની અરજી છે તે સિવાય જે અસંતોષ છે તેવા ઘણા કિસ્સાઓ છે આ દરેક બાબતોના નિવેડા આવતા જ ન હોય આ કામગીરી ક્યારે ચોક્સાઇ પુર્ણ થશે તે સવાલ સાથે શંકા પણ ઉઠી છે કે ચોક્કસ કંપની ધરાઇ જાય ત્યા સુધી કામગીરી ચલાવવાની છે તેમ પણ ખેડૂતો ચણકભણક કરતા હોય છે.