Mysamachar.in-જામનગર
જામનગરમા રેશન વોર્ડની કામગીરી કેવી રીતે થાય છે તેના શુ નિયમો છે તે નિયમોના પાલન થાય છે કે નહી વગેરે બાબતો રેશનકાર્ડ ધારકોના હિતમાં જાણી જો ગેરરિતી થતી હોય તો તેના પર્દાફાશ કરવા તેમજ લોકોના જ ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ કરવાનુ અભિયાન શરૂ જ છે, ત્યારે મોટાભાગે અનિયમિતતાઓ ખુબજ જોવા મળી છે ત્યારે પ્રશ્ન એ છે કે આ અનિયમિતતાઓ ચલાવી કોણ લે છે.? સૌ આનો જવાબ આપી શકે સમજી શકે તેવુ સ્પષ્ટ છે વળી આ અનિયમિતતા ચલાવવાનુ કઇ હર્યુ ભર્યુ કારણ પણ હોય તે પણ સૌ સમજી શકે છે, જેમા સ્ટાફ સહીત દરેકની કથિત મીલીભગત હોય શકે છે તેવા છડેચોક આક્ષેપ થાય છે,
ખાસ કરીને રેશનીંગ વોર્ડની દુકાને જેના નામનો પરવાનો હોય તેને જ બેસવાનુ હોય છે દુકાન સવારે અને બપોર બાદ બંને સમયે નિયમિત ખોલવાની હોય છે સ્ટોક દર્શાવતુ બોર્ડ લગાવવાનુ હોય છે ગ્રાહકોને માલ પુરતો આપવાનો હોય છે તેમજ તે માલનુ બીલ આપવુ ફરજીયાત છે, તેમજ તોલમાપ કચેરીમાથી વજનકાંટા નિયમિત વેરીફાઇ કરાવી લેવા જરૂરી છે ગ્રાહકોને ધક્કા ન થાય માટે અગાઉથી જ દિવસ અને સમય જણાવી આપવા જોઇએ જેટલો માલ અપાય તેટલો જ કાર્ડમા લખવો દુકાનમા સ્વચ્છતા રાખવી પીવાના પાણીની વ્યવસ્થા તેમજ અશક્ત વૃદ્ધ વગેરે બેસી શકે તેવી વ્યવસ્થા રાખવી પરવાનો દેખાય તેમ રાખવો ગ્રાહકો સાથે સારી રીતે જ વાત કરવી વગેરે અનેક બાબતોના રેશનીંગ વોર્ડની દુકાન ધારકોએ પાલન કરવા ફરજીયાત છે, પરંતુ મોટાભાગે આ પાલન થતા જ નથી તેમ લોકોને મળીને પુછીએ છીએ ત્યારે તેમજ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીએ છીએ ત્યારે જાણવા મળે છે તેમજ બીજી અનેક ગંભીર બાબતો હજુ પણ જાણવા મળતી જ જાય છે,
ત્યારે જે તંત્ર એ આ બધુ જ જોવાની ફરજ છે તે કેમ તપાસ માટે ફરકતા નથી.? તેમ જાણકારો પુછે છે અને ઉમેરે છે કે તપાસની સતા છે તેમજ નિયમિત તપાસણીની જવાબદારી સરકારે સોંપી છે તેના પગમા ક્યા પ્રકારની ખાસ બેડીઓ લાગી છે કે તપાસ કરવા અને લોકોને ન્યાય અપાવવા જતા નથી કે જઇ શકતા નથી? અથવા જવુ જ પડે તો કેવી રીતે એકલ દોકલ જગ્યાએ જાય છે તે અંગે પણ અમુક પર્દાફાશ સુત્રોમાંથી પ્રાપ્ત થયા છે, જાણકારો એમ કહે છે કે કહેવાતા જાંબાંઝ અને ફરજનિષ્ઠ જિલ્લા પુરવઠા અધીકારીના પેટનુ પાણી નથી હલતુને ગરીબો જેને રાશન પુરતુ નથી મળતુ તેની આંતરડી કકળે છે.