Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં દુષિત પાણી આવી રહ્યાનો કોર્પોરેટર દ્વારા સામે લાવવામાં આવી રહ્યું છે, મનપાના પ્રથમ જનરલ બોર્ડમાં જ મહિલા કોર્પોરેટર દ્વારા મેયરને વોર્ડ નંબર 4 માં દુષિત પાણી આવતું હોવાની રજૂઆત સાથે ગંદાપાણીની બોટલ આપી રજૂઆત કરી હતી, ત્યાં જ આજે વોર્ડ નં.12ના નગરસેવક અસ્લમભાઈ ખીલજી, જેનબ ખફી અને સામાજિક કાર્યકર હાજી રિજવાન જુણેજા દ્વારા વોર્ડ નંબર 12ના નગરસીમ વિસ્તાર જેવાકે મહારાજા સોસાયટી. રંગમતી સોસાયટી, મકવાણા સોસાયટી, સિલ્વર સોસાયટી, ગ્રીન સોસાયટી, અમન ચમન સોસાયટી, મોરકંડા રોડ, અલ્સફા પાર્ક, ગરીબ નવાઝ સોસાયટી, સનસીટી-1, સનસીટી-2 સેટે લાઈટ, બાલનાથ સોસાયટી, નેશનલ પાર્ક સોસાયટી વગેરે વિસ્તારમાં એક માસ કરતા વધુ સમયથી ત્યાં પીવાનું પાણી ગંદુ આવે છે. એવી રજૂઆત સાથે કમિશ્નરને આવી રહેલા ગંદાપાણીની બોટલ આપી આ મામલે યોગ્ય થવા કમિશ્નર સતીશ પટેલને રજૂઆત કરાઈ છે.