Mysamachar.in:જામનગર
1 લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, આ દિવસની સરકાર દ્વારા દરવર્ષ અલગ અલગ જિલ્લાઓમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવતી હોય છે, આ ઉજવણી આ વખતે જામનગર ખાતે કરવામાં આવશે તેમ નક્કી થતા જામનગર જીલ્લા પ્રશાશન સુચારુ વ્યવસ્થાઓને લઈને કામે લાગી ગયું છે. તા.1 મેના રોજ ગુજરાત સ્થાપના દિનની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે ત્યારે શહેરના પ્રદર્શન મેદાનમાં આ ઉજવણી આનુસંગિક કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્રએ તૈયારીઓ શરુ કરી છે.
રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,અને મંત્રી મંડળના તમામ સભ્યો મુખ્ય સચિવ સહિતના રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે, આ અંગે તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે, અને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ કેટલાક સ્થળની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી, પ્રદર્શન મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં નામાંકીત કલાકારો પણ ઉપસ્થિત રહેશે, કલેકટર બીજલ શાહ, એસ.પી. પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર ભાવેશ ખેર, ડીએમસી ભાવેશ જાની સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત સ્થળ સમીક્ષા કરી હતી. તો પ્રોટોકલ જળવાઈ રહે તે રીતે મુખ્યમંત્રી અને ગર્વનરને સર્કિટ હાઉસમાં ઉતારો આપવાની વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમિક્ષા પણ થઇ હતી, જામનગરમાં ગુજરાત સ્થાપના દિનની પ્રથમ વખત ભવ્યાતિભવ્ય ઉજવણી થશે.