Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરીમાં વસવાટ કરતા અને વ્યવસાયે વકીલ એવા રાજેશભાઈ શેઠના બંગલોમાંથી ગત તારીખ 23 ઓગસ્ટના તેમના ઘરેથી માતબર રકમની ચોરી થયેલ હતી અને તેના માટે પોલીસ સતત સક્રિય હતી અને મેળામાં ફુગ્ગા વેચવાની આડમાં ચોરી કરતા તત્વોને એલસીબીએ ઝડપી પાડ્યા બાદ આ ચોરીના ગુન્હામાં મુખ્ય સુત્રધાર મહિલા સુધી પહોચવામાં જામનગર સીટી બી ડીવીઝન પોલીસને સફળતા મળી છે, મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા જામનગર સીટી બી ડીવીઝન સર્વેલન્સ સ્કવોડના પી.એસ.આઈ. ડી.એસ.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ માધ્યમોથી આ મહિલાને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા અને અંતે તેમણે સફળતા મળી છે.
પી.એસ.આઈ. ડી.એસ.વાઢેર સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે વકીલના ઘરમાં ચોરીની મુખ્ય સુત્રધાર મહિલા રલ્વે સ્ટેશન નજીક બુક બ્રોન્ડ ગ્રાઉન્ડ પાસે એક થેલા સાથે ઉભી છે જે હકીકત આધારે હકીકત વર્ણનવાળી જગ્યાએ જતા જે હકીકત હતી તે મુજબની મહીલા ઉભેલ હોય જેને કોર્ડન કરી મહિલાનુ નામઠામ પુછતા વિમલાબેન બાબુરામ મોંગીયા રહે બન ગામ પોસ્ટ સોજના તા ગુલાબગંજ જી વીદીશા રાજ્ય મધ્યપ્રદેશ વાળી હોવાનુ જણાવેલ જેની મહીલા પોલીસ કર્મચારી દ્વારા અંગઝડતી કરતા તેની પાસે રહેલ એક થેલામાથી રૂપીયા 8,05,000 રોકડા મળેલ…
જે બાબતે મહિલાની પુછપરછ કરી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ અને કોઈ સચોટ અને યોગ્ય જવાબ આપતા ન હોય જે બાબતે મહીલાની યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ભાંગી જઈ જણાવેલ કે આજથી આસરે બે મહીના પહેલા જામનગર શહેરના એક મકાનમાથી સોનું તથા રોકડા રૂપીયાની ચોરી થયેલ હોય જેના ભાગ બટાઈમાથી મળેલ રોકડા રૂપીયા હોવાનું જણાવતા ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા 8,05,000 ગણી રીકવર કરેલ છે.