Mysamachar.in-જામનગર;
જામનગર જીલ્લા જેલ વધુ એક વખત વિવાદમાં આવી છે.જામનગર જીલ્લા જેલમાં ગત જાન્યુઆરી માસ્માસ કાચા કામના કેદી તરીકે રહેલા એક વ્યક્તિને માર મારવા અંગે ત્રણ જેલકર્મીઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેની વિગતો પર નજર કરવામાં આવે તો…
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતા પાયલ બેન પ્રવીણભાઈ સેનાજીયાના પતિ પ્રવિણ સેનાજીયા ગત જાન્યુઆરી માસમાં જીલ્લા જેલ જામનગરમા કાચા કામના કેદી તરીકે સજામા હોય તે દરમ્યાન તેની બેરેકમા કોઇ અન્ય કેદી રેહવા આવતા પ્રવીણે તેને બેરેક બહાર કાઢવા જેલ કર્મચારી ભરત રાનાણીને વાત કરતા જેલકર્મચારી ભરત તેના પર ઉશ્કેરાઈ ગયેલ અને ત્યાર બાદ વિનોદ સોલંકી અને ચેતનસિંહ વાળા નામના જેલ કર્મચારી પણ ત્યા આવી અને ત્રણેય કાચા કામના કેદી પ્રવિણ સાથે બોલાચાલી કરી ઝગડો કરી શરીરે અને મોઢા પર અને કાન પર આડેધડ માર મારતા પ્રવિણ સેનાજીયા નીચે પડી જતા તેણે ડાબા હાથના કાંડાથી ઉપર તથા કાનમાં ઇજાઓ થતા આ ત્રણેય જેલ કર્મચારીઓએ એકબીજાની મદદગારી કરી હોય આ સબબની કલમ 325, 323, 114 મુજબ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.