Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે, આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. હાલ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. મોદી-શાહ પણ અમદાવાદ આવવા રવાના થયા છે. પરંતુ દુખદ વાત એ છે કે, સિવિલ હોસ્પિટલ પાસે રેસીડન્ટ ડોક્ટર જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગ પર પ્લેન અથડાયું છે. અથવા તેમને ઈજા પહોંચવાના સમાચાર છે. તો કેટલાક રેસિડન્ટ ડોક્ટર્સને સારવાર માટે પણ ખસેડાયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા તેવી માહિતી છે. અને જે હોસ્ટેલની મેસ પર આ પ્લેન પડતા કેટલાક તબીબી છાત્રોના મોત થયા છે જો કે તેની સતાવાર પુષ્ટિ હવે થશે
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13:38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખેસડવામાં અવાય છે, કેટલાક લોકોના મોત થયા તેનો સતાવાર આંકડો હજુ જાહેર કરવામાં નથી આવ્યો પણ આ આંકડો મોટો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે
-હેલ્પલાઇન નમ્બર જાહેર કરાયો
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.