Mysamachar.in-જામનગર
PGVCL ધડાધડ ગુના નોંધે છે પરંતુ પોલીસ મથકમાં સ્ટાફ તો આપો.! એવો અવાજ જાણકારોમા ઉઠ્યો છે પુરતા સ્ટાફ વગર કેસ નોંધવાનો મતલબ શુ છે? કેમકે મંજુર મહેકમના માત્ર 25 ટકા સ્ટાફ છે, ને કેસોના ઢગલા છે મારા…સાહેબ 16600 કેસની તપાસ 6 નો સ્ટાફ કેમ કરે? ઉપરથી રોજ નવા કેસ…નવા કેસ દર વરસે પહોંચે અ….ધ…ધ…4000 ઉપર તો તે ક્યારે તપાસ પુર્ણ થશે? જામનગર જીઇબી પોલીસ સ્ટેશનના પોલીસને કામ કરવુ છે સ્ટાફમાંથી જો કોઇ ફીલ્ડમા જાય તો ઓફીસ ખાલી થઇ જાય ને? તો ઓફીસ વર્કનુ શું?અને હા પંચનામુ, ગુના નોંધવા, નિવેદન, અટકાયત, પુછપરછ, મુદામાલ રીકવરી, ચાર્જશીટ, કોર્ટમા અપીયરન્સ, મુદતો, સમન્સ, વોરંટ….વગેરે સહેલુ છે.?નથી જ
આ અંગે વધુ વિગત જોઇએ તો હાલમાં જામનગર વીજ ચેકીંગ થતાં રોજની 50 ફરિયાદો 135 કલમ હેઠળ ની નોંધવામાં આવી રહી છે તે 6 દિવસમાં આશરે 300 થી વધુ ફરિયાદો દાખલ થયેલ છે જામનગર સર્કલ માં દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો તેમ બે જિલ્લાનું એક જ પોલીસ સ્ટેશન હોય જે તા 14-11-2016 થી કાર્યરત છે. જેમાં મંજૂર મહેકમ એક પોલીસ ઇન્સ્પેકટર અને 30 સ્ટાફનું હોય જે રાજકોટ જિલ્લામાં થી જામનગર જિલ્લો અલગ પોલીસ મથક બનતા રાજકોટથી ત્યાંનાં પેંડીગ ગુન્હાઓ નવનિર્મિત પોલીસ મથક જામનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. જે તે સમયે આશરે નવ હાજર જેવા કેશો સાથે આ પોલીસ સ્ટેશન સ્ટાર્ટ થતાં આ પોલીસ મથકનો સ્ટાફ મંજૂર મહેકમ 31 સામે ફક્ત 05 સ્ટાફ થી કાર્યરત થયેલ હતું . જેમાં વખતો વખત ગુન્હાઓ વધતા અને ઓછા સ્ટાફ ને કારણે હાલ આશરે 16000 થી વધુ ગુન્હાઓમાં તપાસ તજવીજ કરવાની બાકી રહે છે.
જે વર્ષ દરમિયાન આશરે 3000 કેસો દાખલ થતાં હોવાનું જાણવા મળેલ છે અને તેની સામે સ્ટાફ ઓછા હોવાને કારણે પોલીસ સ્ટેશનની પ્રાથમિક કામગીરી pso ચાર્જ અને ક્રાઇમ વર્ક ને સમન્સ વોરંટ બજવણી તેમજ વીજ ચેકીંગ બંદોબસ્ત માં રોકાવા ને કારણે ઓછા સ્ટાફમાં પણ જીઈબી પોલીસ સ્ટેશન દ્વારા વર્ષે એક હજારથી 1200 કેસોની નિકાલ કરવામાં આવે છે. પણ સ્ટાફની ઘટ મંજૂર મહેકમની સામે ઓછો સ્ટાફ જ હોય જેથી વીજ ચોરીનાં કેસો 32 સબ ડિવીઝન દ્વારા રોજે રોજ ની ચેકીંગ કાર્યવાહી અને ફરિયાદોનાં પ્રમાણમાં નિકાલની કામગીરી સરકાર દ્વારા મંજૂર મહેકમ સામેની હાજર સ્ટેંથની ઘટથી વીજચોરો સામે કાર્યવાહી થવામાં વિલંબ થાય છે. જેથી વર્ષોથી ઓછા સ્ટાફને લીધે પેન્ડિંગ રહેતા ગુન્હાઓ વધતા હાલે હાલારમાં 16600 થી વધુ વીજ ચોરો સામે કાર્યવાહી કરવાની રહે છે જે કેસોમાં પ્રથમ ગુન્હો હોય તે માંડવાળ યોગ્ય એટલે કે વીજ ચોરીની સંપૂર્ણ દંડનીય રકમ અને ફરિયાદ પાછી ખેંચવાની ગુન્હો માંડવાળ રકમ કમ્પાઉન્ડેબલ રકમ ભરીને કેસ પરત ખેંચી શકાય છે પરંતુ બીજી વખતનાં ગુન્હા માંડવાળ થતાં નથી. જેમાં ઘણા કેસો બીજી વખતનાં હોય છે તેવા લોકો વિરૃદ્ધ ચાર્જશીટ કાર્યવાહી પણ કરવામાં આવે છે.
વળી વિસ્તારની દ્રષ્ટિએ ઘણો જ લાંબો વિસ્તાર બે જિલ્લાઓનો હોય તેમજ તપાસ કરનાર અમલદાર પ્રમાણમાં ઘણાજ ઓછા હોય જેથી વધુ સ્ટાફ ફાળવાય તો વીજ ચોરીનાં થયેલ કેસોમાં ઝડપી તપાસ થાય અને કોર્ટ કાર્યવાહી માટે ચાર્જશીટ ફાઈલ કરવા અથવા ગુન્હાને માંડવાળ લગત કામગીરી કરવા વધુ સ્ટાફ ફાળવાય તો સરકાર ને પેન્ડીંગ કેસોમાં ઝડપી રેવન્યુ કવર થઇ શકે અને કે લોકો ઈમાનદારી થી વીજબિલ ભરે છે તેઓને વીજ ચોરોનાં કારણે વીજળીનો ભાવ વધારો સહન કરવો પડે છે તે સહન ન કરવું પડે જેથી વીજ ચોરોને વીજ કંપની વીજ ચેકીંગ કરી કાગળની કાર્યવાહી તો કરે છે પણ તેમના પર દીવાની અને ફોજદારી કાર્યવાહીમાં તેમના પરનાં એક્શનમાં બનાવવામા આવેલ પોલીસ મથક પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવેલ નથી જેથી વીજ ચોરો વીજચોરી કર્યા બાદ પણ લાંબો સમય કાયદાકીય કાર્યવાહી થી દૂર રહે છે .પોલીસ મથકના ફોજદાર કહે છે કે ગંભીર તેમજ વધુ રકમના કેસોને પ્રયોરીટીમા લઇએ છીએ બીજુ સ્ટાફની રિોક્વાયર મેન્ટ મુકિ છે જે ટુંક સમયમા માન્ય રહે તેવી અપેક્ષા છે દરમ્યાન શક્ય તેટલુ મેક્સીમ વર્ક અને રીઝલ્ટ આપવાનો અવિરત પ્રયાસ પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.