Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે દુઃખદ ઘટના સામે આવી છે જેમાં દરજીકામ કરતા એક યુવકે મકાનની લીધેલ લોન અને પોતે કરી રહ્યો તે ધંધામાં સતત મંદીને કારણે ટેન્શનમાં જ વાડીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાની ઘટના સામે આવી છે તેની વિગતો એવી છે કે..
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/My-Samachar-Social-Media-2024.jpg)
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વસવાટ કરતા બીપીન રામજી વસોયા નામના 41 વર્ષીય યુવક જે પોતે દરજીકામ કરતા હોય જેને થોડા સમય પૂર્વે જ મકાનની લોન લીધેલ હતી લોન તો લીધી પણ માઠી એવી બેઠી કે ધંધામાં પણ મંદી આવી જતા મૃતક બીપીન વસોયા સતત ટેન્શનમાં રહેતા ટેન્શનમાં અને ટેન્શનમાં જ તેણે તેમની વાડીએ ગળેફાંસો ખાઈ લઇ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું લાલપુર પોલીસ મથકે મૃતકના ભાઈએ જાહેર કર્યું છે.(symbolic image source:google)
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/default-ad.jpg)