Mysamachar.in:જામનગર
કેન્દ્ર સરકારની આધાર ઓથોરિટીએ બે મહત્વની જાહેરાત આજે ટ્વીટ મારફતે કરી છે, જેમાં એક એલર્ટનો પણ સમાવેશ થાય છે. બીજી જાહેરાત સેવાઓ સંબંધી છે, જેમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની આધારકાર્ડ સંબંધિત ઓથોરિટી યુઆઈડીઆઈએ દ્વારા આજે ટ્વીટ મારફત આ બંને જાહેરાતો કરવામાં આવી છે. ઓથોરિટીએ જણાવ્યું છે, આધાર ઓટીપી કોઈની પણ સાથે શેર કરવો નહીં. આધાર ઓથોરિટી (ખુદ સરકાર પણ) ક્યારેય આ ઓટીપી જાણવા કે મેળવવા કાર્ડધારકોને કોલ નહીં કરે, એસએમએસ કે ઈમેલ પણ નહીં કરે, એમ કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઓથોરિટીએ ટ્વીટ મારફતે એવી પણ જાણકારી આપી છે કે, કોઇ પણ આધારકાર્ડ ધારક કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તેઓ હેલ્પલાઇન નંબર 1947 મારફત આધાર ઓથોરિટીનો સંપર્ક સાધી શકે છે. ગુજરાતી, મરાઠી, પંજાબી સહિત 12 ભાષાઓમાં આ સેવાનો લાભ પ્રાપ્ત કરી શકાશે. આ સાથે ટ્વીટ મારફત જણાવ્યું છે કે, કોઈ પણ પ્રકારની આધાર સંબંધિત સમસ્યા માટે આધાર સત્તાવાળાઓનો મેઈલ દ્વારા પણ સંપર્ક કરી શકાશે. આ માટે ઈ-મેઈલ એડ્રેસ છે, [email protected]