Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગતરાત્રીના અફવાઓનું બજાર ગરમ થયું હતું કે જામનગરના નામીચા શખ્સ દીવલા ડોન સહીત બે પર અંધાશ્રમ આવાસ નજીક 4 ઇસમોએ ફાયરીંગ કર્યું છે.આ મામલે પોલીસ ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાઈ છે, જે બાદ my samachar.in દ્વારા તપાસકર્તા અધિકારી પી.એસ.આઈ કે.કે.નારિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને હુમલાની ઘટના સાચી છે પણ ફાયરીંગની વાત તથ્યવિહીન છે.
આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ પર નજર કરીએ તો દિવ્યરાજસિંહ ચૌહાણ જે ફરિયાદ નોંધાવી છે તેમાં ફરીયાદી તથા તેની સાથે રહેલ રવિરાજસિંહ રાઠોડ તેમના મિત્ર દિવ્યરાજસિંહ જાડેજા ને મળવા માટે જતા હતા તે વખતે અનીલ મેર એ ભુંડી ગાળો બોલી દિવ્યરાજસિંહ ચૌહાણને જમણા પગના ગોઠણ નીચેના ભાગે લોખંડનો પાઇપ મારી ફેક્ચર કરેલ તથા ભરત મેરએ દિવ્યરાજસિંહને ડાબા હાથના ભાગે લોખંડ નુ ધારીયુ મારી ઇજા અન્ય અજાણ્યા બે ઈસમોએ અન્યને પગના ભાગે લાકડા ના ધોકા મારી ઇજા પોંહચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદ કર્યા સબબની ફરિયાદ સી ડીવીઝનમાં નોંધાઈ છે.ગત સાંજે આ મામલે ફાયરીંગની વાતો ઉડતા એલસીબી સહિતની ટીમો પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. પરંતુ નિવેદન અને પ્રાથમિક તપાસમાં ક્યાય ફાયરીંગ ના થયાનું સામે આવ્યું છે.