Mysamachar.in-પાટણ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, કોઈ ને કોઈ જીલ્લામાં અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, અને લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે તજજ્ઞોના મતે હાઈવે પર ગતિમર્યાદાનું પાલન વાહનો કરે અને સરકાર કરાવે તો મહદઅંશે અકસ્માતોની સંખ્યામાં કદાચ ઘટાડો આવે.. આજે પણ આવી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં ત્રણ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે, પાટણ ચાણસ્મા હાઇવે ઉપર લણવા ગામ નજીક દૂધ ભરેલા ટેન્કર અને સુરતથી મેથાણીયા ગામે સીમંતના પ્રસંગમાં આવી રહેલા પરિવારની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગામથી 500 મીટર દુર જ કાળમુખા ટેન્કરે કારને ટક્કર મારતાં કારમાં સવાર પાંચ પૈકી બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતાં. કારમાં સવાર બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત થવા પામ્યા હતા. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ જવા પામ્યું હતું.