Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં માત્ર છેલ્લા પાંચ વર્ષનો કોર્પોરેશનના ચુંટાયેલા પ્રતિનિધીનો શુ કર્યુ શુ નહિ નો હિસાબ તો નાગરીકો કરવાના જ છે તે હિસાબની ચર્ચાઓ સાંભળીએ ત્યારે અનેક જુદી જુદી બાબતો જાણવા મળે છે જે અભિપ્રાયો ખરેખર કોર્પોરેટરોની પારાશીશી કે પ્રમાણપત્ર જેવા હોય છે ત્યારે અમુક એવા મુદા પણ સામે આવ્યા કે પ્રજાની દરેક બાબતે કાળજી લેવામા મોટાભાગે નગરસેવકો નિષ્ફળ રહ્યા તો અમુક વળી જુજ પત્રો લખી બેસી રહ્યા તો અમુક તો પોતાના રાજકારણ અમુક પોતાના ધંધા ઉદ્યોગ કે અમુક પોતાને ક્યા ફાયદો છે તેવી બાબતોમાથી ઉચા ન આવ્યા ને ટર્મ તો પુરી થઇ ગઇ,
લોકો એવુ પુછે છે કે નગરસેવકો કોરોના વોરિયર કેટલા બન્યા?? લોકડાઉનમા કેટલા લોકો પાસે નગરસેવકો સંપર્કમાં ગયા?? તો અમુકે તો જુજ કિટ વિતરણ કરી ફોટા પડાવ્યા તો અમુકે ઉકાળા થોડા આપ્યા અમુકે માસ્ક થોડા આપ્યા તો અમુક એ ક્યા કઇ જરૂરી વિતરણોમા માત્ર હાજરી આપી પરંતુ એમ ન વિચાર્યુ કે ઉકાળા માસ્ક દવાઓ અનાજ રાશન તો કાયમી જરૂરિયાત છે તો લોકોને તે વ્યાજબી ભાવે સરકારની યોજના મુજબ મળ્યા કે ન મળ્યા તેની પણ ઘણાએ ચિંતા ન કરી જોકે અમુક નગરસેવકોએ આ ચિંતા કરી હતી.
કોરોનાના પીક કાળમા ખરેખર નાગરીકોને સાંત્વના સપોર્ટની ખુબ જરૂર હતી ઘણા લોકોએ ઘણી મુશ્કેલી ભોગવી છે ઘણા કામ ધંધા રોજગાર વગર હતા તેવી તો અનેક સ્થિતિ હતી જે વખતે સહાનુભુતિના શબ્દો નગરસેવકો બોલી પ્રજાના દિલ જીતી શક્યા હોત આ ગાળો સંવેદના જીતવાનો હતો પરંતુ અમુકને બાદ કરતા દરેક નગરસેવકો આવુ કરી શક્યા નહી તેમ નાગરીકો જણાવે છે અને પુછે છે કે આરોગ્ય કેન્દ્રો ઉપર કેટલા નગરસેવકો હતા?? ધન્વંતરી કે આરોગ્ય રથ સાથે કેટલા નગરસેવકો હતા?? જીજી હોસ્પીટલમા કેટલા કોર્પોરેટરો જતા?? કેટલા કન્ટેનમેન્ટ ઝોનમા ગયા??
બીજી તરફ કોરોના સિવાયની પણ બિમારી ન ફેલાય તે માટે ગટર સફાઇ ડ્રેનેજના કામ કેનાલની યોગ્ય સફાઇ થાય મચ્છર જંતુ વગેરેથી નાગરિકોને મુક્તિ મળે તેમજ જનરલ હેલ્ધી આરોગ્યવાળુ વાતાવરણ લોકોને મળર અને પોલ્યુશન ફ્રી વાતાવરણ આપવા વગેરે જેવા ખુબ મહત્વના મુદાઓ માટે નાગરીકો માટે ઠોસ કામ કરવા દરેક નગરસેવકો કાયમ માટે આગળ કેમ નથી આવતા?