Mysamachar.in-જામનગર:
જામનગરનાં પ્રજાપતિ સમાજના તથા બ્રહ્મદેવ સમાજના આગેવાનો તથા વિશ્વકર્મા મહાસંઘના આગેવાનોએ તાજેતરમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલની મુલાકાત લીધી હતી અને 79- જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર પ્રજાપતિ સમાજ અથવા બ્રહ્મસમાજનાં ઉમેદવારને ચૂંટણી ટિકીટ આપવામાં આવે એવી માંગ આ મુલાકાત દરમિયાન કરી હતી.
જામનગરનાં વાટલિયા પ્રજાપતિ યુવક મંડળનાં મહામંત્રી રાકેશ આંબલીયા તથા વિશ્વકર્મા મહાસંઘના અધ્યક્ષ દયાળજી ભારદીયા તેમજ બ્રહ્મદેવ સમાજ ગુજરાતનાં અગ્રણીઓ મિલન શુકલ, કશ્યપ ઠાકર, વિરેન ભટ્ટ, જિતેન્દ્ર ભટ્ટ, બિપીન લુનવિયા, નીરજ લૂનાવિયા, રાજ જોશી ઉપરાંતગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ કિશોર ચૌહાણ , વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ પ્રવિણ લાઠીયા તથા વિશ્વકર્મા મહાસંઘના અધ્યક્ષ દિલીપભાઈ વગેરે આગેવાનોએ સીઆર પાટિલ સમક્ષ જણાવ્યું હતું કે, પ્રજાપતિ સમાજ, વિશ્વકર્મા મહાસંઘના તથા બ્રહ્મસમાજનાં અંદાજે 71,000જેટલા મતદારો ભાજપા સાથે સંકળાયેલા છે. અને એક તરફી મતદાન કરે છે.
આ ત્રણેય સમાજની લાગણી ધ્યાનમાં રાખી 79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે આ સમાજનાં અગ્રણીઓ ગિરીશભાઈ અમેથિયા અથવા શહેર ભાજપા મહામંત્રી પ્રકાશ બાંભણીયા અથવા તો આ ત્રણ સમાજ પૈકી કોઈ પણ અગ્રણીને ટિકીટ આપવામાં આવશે તો આ ત્રણેય સમાજ પક્ષનાં આ ઉમેદવારનાં વિજય માટે સંગઠિત રહેશે.
અત્રે નોંધનીય છે કે, ગિરીશભાઈ અમેથિયાએ પ્રજાપતિ સમાજ વતી તથા પ્રકાશ બાંભણીયાએ બ્રહ્મસમાજ વતી ભારતીય જનતા પાર્ટી સમક્ષ આ બેઠક માટે ઘણાં દિવસો પહેલાં દાવેદારી નોંધાવી છે. અને આ ત્રણેય સમાજ આ મુદ્દે ઘણાં સમયથી સંગઠિત અને સક્રિય છે.
ગુજરાત ભાજપ અધ્યક્ષની મુલાકાત વેળાએ કશ્યપભાઇ ઠાકર, જીતેન્દ્ર ભાઇ ભટ્ટ, ગીરીશભાઈ અમેથીયા, અનિલભાઇ પ્રજાપતિ, વીરચંદ ભાઇ પ્રજાપતિ, રમેશ ભાઇ ગોંડલિયા, બિપીનભાઈ લુનાવિયા,નીરજ ભાઇ લુનાવિયા, રાજ ભાઇ જોશી, અજય ભાઇ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.