Mysamachar.in-પાટણ:
રાજ્યમાં વધુ એક વખત એક ગોઝારા અક્સ્માતની ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે.મળતી પ્રાથમિક વિગતો મુજબ પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં 6 લોકોનાં મોત નીપજ્યા હતા, તો 10 જેટલા લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસથી સ્થાનિકો મદદ અર્થે દોડી આવ્યા હતા અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ પહોચાડવાની કામગીરી હાથ ધરી હતી.