Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સૈન્યની ત્રણેય પાંખોના મથકો આવેલ છે, જેમાં રાજ્ય બહારના કેટલાય જવાનો ફરજ બજાવે છે, એવામાં INS વાલસુરા નેવી મથકમાં જવાને પોતાની જ રાઈફલ પોતાના જ છાતીના ભાગે ગોળી મારી મોત મીઠું કર્યાની ઘટના સામે આવી છે, INS વાલસુરાના એરીયા વોચ ટાવર નં.9 નજીક 47 વર્ષીય ઈકબાલ મોહમદખાન કયમખાની INS વાલસુરા ડી.એસ.સી. લાઈન બ્લોક નં.પી-276 જામનગર મુળ રહે. આદર્શ સ્કુલ પાસે, પોલીસ લાઈન પાછળ વિવેકાનંદનગર ભીલવાડા જી.ભીલવાડા રાજય રાજસ્થાનવાળાએ પોતાની ફરજ પર હાજર હોય તે દરમ્યાન કોઈપણ કારણસર પોતાની પાસે રહેલ સર્વિસ ઈન્સાસ રાયફલ વડે પોતાના હાથે છાતીના ભાગે ફાયરીંગ કરી મરણ ગયાનું બેડી મરીન પોલીસ મથકે જાહેર થતા આ અંગે નેવી અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.