Mysamachar.in:જામનગર
જામનગર મનપાની સ્ટે.કમિટી ચેરમેન સહિતની વર્તમાન હોદેદારોની ટર્મ આગામી 12 તારીખે પૂર્ણ થઇ રહી છે , તે પૂર્વે જામનગર આજે પૂર્વે આજે સ્ટે.કમિટીની બેઠક મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, હવે પછીની બેઠક નવા સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓ અને હોદેદારોની હાજરીમાં મળશે.
આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 3 કરોડ 92 લાખના કામોને બહાલી આપવામાં આવી જેમાં પાઇપલાઈનના કામો, વોટરવર્કસને લગત કામો સહિતના કામો મંજુર કરવામાં આવ્યા છે, તો કેન્દ્ર સરકાર પી.એમ. ઈ-બસ સેવા અને રાજ્ય સરકારની સ્ટેટ લેવલ સ્ટીયરીંગ કમિટી મારફત રાજ્ય સરકારની સહાય સાથે કુલ 50 બસો જામનગર શહેરને ફાળવવા અંગેનો મહત્વના નિર્ણયનો પણ સ્ટે.કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. મહત્વનું છે કે સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયાના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વના કેટલાય નિર્ણયો શહેરના લોકોની સુખાકારી માટે કરવામાં આવ્યા છે.