Mysamachar.in:જામનગર
આમ તો સરકારી શાળા એટલે બધા લોકોને પસંદ આવે તે જરૂરી નથી, પણ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી શાળાઓની સ્થિતિ બદલાઈ છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી શાળાઓમાં વધી રહી છે, ત્યારે જામનગર જીલ્લાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં અત્યાર સુધી બધું ભંભે-ભંભ ચાલતું હતું, કેટલીક અંતરિયાળ શાળાઓમાં વધુ શિક્ષકો હોય ત્યાં વારા પદ્ધતિ હતી, તો કેટલાકને ગાપચી મારવાની ટેવ પણ હોય છે, પણ તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગે જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે એસ.જે.ડુમરાણીયાને નિમણુક આપતા જામનગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નવી ઉર્જાનો સંચાર થવા સાથે શિક્ષણ સુધારણા સંદર્ભે ખુબ મોટી ચોકસાઈ ગણતરીના દિવસોમાં જ જોવા મળી છે.
શિક્ષણ વિભાગના અત્યંત આધારભૂત સુત્રો માહિતી આપતા જણાવે છે કે છેલ્લા બે દિવસથી જીલ્લાના 6 તાલુકાઓમાં આવેલ તમામ 664 શાળાઓમાં શિક્ષકો હાજર છે..?? સમયસર હાજર છે કે કેમ.? તે અંગે દરરોજ જીલ્લા કચેરી ખાતે ટાઈમ આવે તે રીતે સ્કેન કરેલ મસ્ટર જે શિક્ષકોની હાજરી દર્શાવે છે તે ચકાસવાની શરૂઆત થઇ ચુકી છે, જીલ્લાના 71 CRC અને 6 BRC તેના નિયત સમયે જ શાળાએ હાજર રહે છે અને શું મુલ્યાંકન કરે છે તેની વિગતો પણ જીલ્લાકક્ષાએ નિરીક્ષણ કરાઈ રહી છે,
તો વિદ્યાર્થીઓના બપોરના મધ્યાહ્ન ભોજન વખતે પણ મેનુ મુજબ ભોજન બાળકોને પીરસવામાં આવે છે કે કેમ તે ઉપરાંત દરરોજ સાંજે દરેક CRC પોતાની સેલ્ફી જેમાં તે તેની નિયત ફરજના સ્થળ પર જ હાજર છે તેવા ટાઈમિંગ અને તારીખ સાથેનો પણ નિરીક્ષણ કરવામાં આવે છે.આમ વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણમાં જરાપણ કચાસ ના છૂટી જાય અને સૌ કર્મયોગી શિક્ષકો પોતાની ફરજ સુપેરે નિભાવે તે માટે જામનગર જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ પદ્ધતિની સરાહના થઇ રહી છે.