Mysamachar.in:જામનગર
સમાજ સેવક મહાવીર દળ અંતર્ગત સ્મશાન વ્યવસ્થા સમિતિ સંચાલિત આદર્શ સ્મશાન (સોનાપુરી) માં રામાયણ ચિત્રિત કમ્પાઉન્ડ વોલમાં પુન:નિર્માણનું ખાતમૂહર્ત, પુન:નિર્મિત અંતિમયાત્રા રથનું લોકાર્પણ, ગેસ આધારિત ફરનેશ અને લાકડા આધારિત અગ્નિ ગૃહો માટે આવેલ દાનના દાતાઓની નામાવલીનું અનાવરણ, પુનઃનિર્મિત અસ્થિરૂમનું લોકાર્પણ અને સ્મૃતિશેષ ગોકળદાસ હીરજી ઠક્કર વહીવટી ભવનનું લોકાર્પણ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે 79 – જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કો.કો.બેંકના જોઈન્ટ મેનેજીંગ ડીરેકટર તથા આર્યસમાજના માનદમંત્રી મહેશ રામાણી, એડવોકેટ દિલીપ ભોજાણી (જિલ્લા ભાજપ મહામંત્રી), હસમુખ હિંડોચા (પૂર્વ શહેર ભાજપ પ્રમુખ), વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન સમાજ સેવક મહાવીર દળ જામનગરના માનદ્દમંત્રી દર્શન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યઅતિથી વિશેષ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન માડમએ આદર્શ સ્મશાન (સોનાપુરી) જામનગરની સેવાઓને બિરદાવીને મનનીય વક્તવ્ય આપેલ હતું. અધ્યક્ષીય ઉદ્દબોધન સમાજ સેવક મહાવીર દળ જામનગરના પ્રમુખ દીપક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં 1 લાખ કે તેથી વધુ દાન આપેલ દાતાઓમાં 15 (પંદર) દાતાઓ તથા 2 (બે) વિનામુલ્યે સેવા આપનાર વ્યક્તિઓના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આદરણીય સાંસદ પુનમબેન માડમ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સંસ્થાના પ્રમુખ દિપક ઠક્કર, ઉપપ્રમુખ વિજય ચૌહાણ, માનદ્દમંત્રી દર્શન ઠક્કર, ઉપમંત્રી નરેન્દ્ર મહેતા, ખજાનચી અમર ગોંદિયા, અને કારોબારી સભ્ય દ્વારા સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જામનગરના શ્રેષ્ઠીઓ દિનેશ વિરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર ધીરેન મોનાણી, મુકેશ માતંગ, ક્રિષ્નાબેન સોઢા, કેતન ગોસરાણી, આશાબેન રાઠોડ, પ્રભાબેન ગોહેરા, જીતુ શિંગાળા, પાર્થ સુખપરીયા, વિજય સંઘવી, જીગીશ દતાણી, મેહુલ જોબનપુત્રા, અશોક જોબનપુત્રા, નીતિન માડમ, અરવિંદ પાબારી, રમેશ દતાણી, નિરજ દતાણી, ભાવીન ભોજાણી, સહિત અસંખ્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં સંસ્થાના કારોબારી સદસ્યો હસમુખ કુંભારાણા, ધવલ બરછા, સુધીર રાઠોડ, કેતન વિઠલાણી, વિપુલ ભેડા, વિશ્વાસ ઠક્કર, શૈલેશ ફુલાણી, કલ્પેશ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ સમાજ સેવક મહાવીર દળ જામનગરના કારોબારી સદસ્ય વિશ્વાસ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરાગ વોરા દ્વારા કરવામાં આવેલ હતું.