Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં શાળા બાળ આરોગ્ય તપાસણીકાર્યક્રમમાં બાળકો,કિશોરી વગેરેમાં લોહતત્વની ખામીઓના કારણેપાંડુરોગનું સૌથી વધુ પ્રમાણ હોવાના ચોંકાવનારા આંકડા આવ્યા છે, જામનગર જિલ્લામાંકુપોષિતાનું પ્રમાણ વધારે હોય તેમ જામનગર શહેર તથા જીલ્લાભરમાં આરોગ્ય વિભાગની ટીમદ્વારા આંગણવાડીથી માંડીને માધ્યમિક શાળા સુધી બાળકો, કિશોર, કિશોરીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ આગામી તા.30 સુધી ચાલ્યો હતો જેમાં શરૂઆતના સપ્તાહ દરમ્યાન જામનગર શહેરમાંઆરોગ્ય તપાસણી દરમ્યાન સૌથી વધુ 10 હજાર જેટલાબાળકો,કિશોર, કિશોરીઓમાં પાંડુરોગ (એનીમિયા) હોવાનું સામે આવ્યું છે. આવી જ રીતે જિલ્લામાંઆંગણવાડીના બાળકોમાં સૌથી વધુ 1590 જેટલા બાળકોમાંપાંડુરોગ જોવા મળ્યો છે અને કુલ 5 હજાર જેટલાબાળકોમાં કિશોર,કિશોરી વગેરેમાં પાંડુરોગનું પ્રમાણ વધારેહોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
વધુમાં મળતી વિગત મુજબ જામનગર શહેર તથાજિલ્લામાં ખાસ કરીને સ્લમ વિસ્તારના પછાત વર્ગના બાળકો, કિશોર, કિશોરી વગેરે આંગણવાડીથી માંડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું તારણનીકળ્યું છે જેમાં શાળાએ ન જતા બાળકો, વગેરેમાં 20ની સંખ્યામાં પાંડુરોગ જોવા મળ્યો છે. વધુમાંમળતી વિગત મુજબ પાંડુરોગની સમસ્યા નિવારવામાં ન આવે અને આવી કિશોરીઓ ભવિષ્યમાંસગર્ભા બને તે સમયે પણ પાંડુરોગથી પીડીત હોય તો નવજાત બાળક ઓછા વજનનું જન્મી શકેછે અને બાળ મૃત્યુનું કારણ બની શકે છે. બાળ મૃત્યુના કિસ્સામાં જન્મ સમયે બાળકનુંઓછું વજન જવાબદાર હોય છે.
-પાંડુરોગ વધુ વકરતો જાય છે
તેવામાં કુપોષિત માતાના કુખે જન્મ લેતાબાળકોને મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે. પાંડુરોગ ધરાવતી માતાના કુખે જન્મલેતું બાળક પણ કુપોષિત હોવાની શકયતા વધારે રહેલી છે. આમ જામનગર જિલ્લામાંકૃપોષિતાનું પ્રમાણ માતામાં વધુ હોવાના તારણ સાથે 15900 જેટલા બાળકો, કિશોરી વગેરેમાં પાંડુરોગ જોવા મળ્યો છે. ત્યારે કૃપોષણ માટે રક્ષણાત્મકખોરાકમાં ફળો,શાકભાજી, લીલા પાંદડાના શાકભાજી યોગ્ય પ્રમાણમાં ન લેતા હોવાના કારણે પાંડુરોગ વધુવકરતો હોવાનું સામે આવ્યું છે. કિશોરીઓને સરકાર દ્વારા પૂર્ણા શકિત ટેક હોમરાશન આપવામાં આવે છે,મહિને ચાર કિલોના પેેકેટનું વિતરણ કરાય છે.જેમાં ઘઉંનો લોટ,સોયાબીનનો લોટ, મકાઈના લોટ,ચણાનો લોટ, ખાંડ સહિતની સામગ્રી હોય છે. જેનો આંગણવાડીથી કિશોરીઓમાં યોગ્ય રીતે વિતરણ થતુન હોવાના કારણે તેમજ આ સામગ્રીનો ઉપયોગ ન થવાના કારણે પોષણ મળતું ન હોવાનું પણસામે આવ્યું છે.