Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં વધુ એક આશાસ્પદ યુવાને જિંદગી ટૂંકાવી લીધાની ઘટના સીટી એ ડીવીઝન પોલીસ દફતરેથી મળી રહી છે. આ અંગેની વિગતો એવી છે કે લાલવાડી ઉમિયાનગરની સામે આવેલ ગ્રીન પ્લોટ નંબર 7 માં વસવાટ કરતા શ્યામ પરેશભાઈ ઝાલા (ઉ.વ.23) તે સી.એ.ની તૈયારી કરતા હોય અને સતત વાંચન કરતા રહેતા હોય જેથી સતત વાંચનના તણાવમા આવીને પોતાના રહેણાક મકાને છતના પંખામા સાડી વડે પોતાની જાતેથી ગળાફાસો ખાઇ લેતા મોત નીપજયાનું જાહેર થયું છે. પરિવારના જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.