Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના બનાવો વધવા પામ્યા છે. તમામ જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા 2021ના 15 જૂનના દિવસે આ કાયદો અમલમાં મુકવા આવ્યો, તેમ છતાં ઘણી ખામીઓને લઈ સરકારી તંત્ર ટૂંકું પડ્યું છે. અત્યારે લવ જેહાદના બનાવો વધવાની સાથે ધર્માંતરણ એક અંગ બની ગયું છે. લવ જેહાદ થી ધર્માંતરણ કરી દીકરીઓ શિકાર બને છે અને ધર્માંતરણ તરફ વળે છે. જે દેશ માટે મોટો ખતરો છે. હિન્દુ દીકરીઓને ફસાવી લવ જેહાદના હાથનો શિકાર બનાવવા માટે તેમને અઢળક ફંડ વિદેશોમાંથી આવી રહ્યું છે. એટલું જ નહીં આવી દીકરીઓ પાસે ગેરકાયદેસર કામમાં ધકેલી તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરાવતા હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે.
લવ જેહાદને સાથે ધર્માંતરણ વધી ગયું છે જેમને રોકવા માટે હિન્દુ સેના પ્રયત્ન કરી રહી છે એટલું જ નહીં સમાજમાં જાગૃતિ લાવવા માટે હિન્દુ સેનાએ જામનગરમાં તળાવની પાળે ગણપતિ ઉત્સવમાં હિન્દુ સેનાના સૈનિકો દ્વારા લવ જેહાદની પત્રિકાઓ વિતરણ કરી સમાજને જાગૃત કરવા પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ ગુજરાતના ગામડા સુધી પહોંચે તેવો વિશેષ પ્રયાસ કરશે. હાલ લવ જેહાદના બનાવો વધવાની સાથે જામનગરમાં પણ કિસ્સાઓ બહાર આવવા લાગ્યા છે. જેમાં પોલીસ પ્રશાસનને તેમજ રાજકીય નેતાઓએ ગંભીરતા દાખવી એટલી જરૂરી બની ગઈ છે નહીં તો લવ જેહાદ સડો એક મોટું ષડયંત્ર એટલે કે કાવતરું આ દેશને ખોખલું બનાવી દેશે અને આવતા સમયમાં લવ જેહાદ થી ઈસ્લામી કરણ તરફ વળતા વાર લાગશે નહીં. આ કાર્યક્રમ તળાવની પાળે ગણેશ ઉત્સવમાં લોકોની વચ્ચે પહોચી પત્રિકા વિતરણ કરી કર્યો હોતો, જેમાં હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ સહિતની ટીમ જોડાઈ હતી.