Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને આજે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી જેમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપી છે. બેઠક બાદ કૃષિમંત્રી આર. સી. ફળદુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વખતે રાજ્યમાં વરસાદ સારો થયો છે. રાજ્યના વિસ્તારોમાં વધુ વરસાદને લીધે આશરે 13 લાખ હેક્ટરમાં નુકશાન પણ થયું છે. 3 લાખ હેક્ટરની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. હજુ સર્વે માટેનો સમયગાળો લંબાવવામાં આવશે. 33% કરતાં વધુ નુકસાન થયું હશે તેને સર્વે બાદ લાભ આપવામાં આવશે. એવું પણ કૃષિમંત્રીએ જણાવ્યું છે.
આવે વખતે જે ખરીફ પાકોનું ખરીદીમાં અધિકમાસ હોવાથી અને ખેડૂત આલમની માંગ હોવાથી રાજ્યમાં આ વખતે લાભપાંચમ પહેલાંથી જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી મગફળીની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ 21મી ઓક્ટોબરથી જ ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નાફેડની દેખરેખ હેઠળ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે 90 દિવસ સુધી ચાલશે. આમ તો દર વર્ષે લાભપાંચમના ખરીફ પાકોની ખરીદીની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. પરંતુ આ વખતે તે પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવશે. ખેડૂતો માટે આ એક આનંદના સમાચાર છે.