Mysamachar.in-જામનગર
રાજ્યમાં છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે થવી જોઈતી વ્યવસ્થાઓ કરવામાં સરકાર ક્યાંક ઉણી ઉતરી રહી હોય રાજ્યના રાજ્યપાલ, ચીફ જસ્ટિસ, તકેદારી આયોગ, અને ડીજીપીને ઉદ્દેશીને જામનગરના સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જેના પર નજર કરવામાં આવે તો… ભારતીય બંધારણ મુજબ કાયદાનું પાલન કરવાની જવાબદારી ભારતીય જનતાની તેમજ કાયદાનું પાલન કરનાર અધિકારીઓની પણ સંપૂર્ણપણે રહેલ છે.વૈશ્વિક મહામારી કોરોના (કોવીડ-19) એ ભારત માં પણ 2020 ની સાલથી ફેલાયેલો હતો અને ભારત સરકાર ધ્વારા દરેક રાજય પોત પોતાની રીતે પોતાના રાજયમાં અસરગ્રસ્તો મુજબ લોકડાઉન કરી શકશે તે અનુસંધાને સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવેલું હતું.
પરંતુ 1 વર્ષ બાદ પણ ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી અને મંત્રાલય દ્વારા અને ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અને કોઇપણ પ્રકારના અભિપ્રાય લીધા વગર અને ગંભીરતા દાખવ્યા વગર અને ભવિષ્યનો વિચાર કર્યા વગર ચૂંટણી અનુલક્ષી લોકડાઉન ઉઠાવી લેવામાં આવેલું હતું અને આના કારણે ગુજરાતમાં સંક્રમણ વધતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો ઉત્તરોતર નોંધાતો ગયો અને આ દર્દીઓ ને સારવાર આપવાની જવાબદારી ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી અને મંત્રાલય તેમજ ગુજરાત આરોગ્ય વિભાગની એટલે કે વહીવટ ચલાવનારાઓની થતી હોય છે.
પરંતુ ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં અપૂરતી સુવિધાઓ એટલે કે પથારીની વ્યવસ્થા, ઓક્સીજનની વ્યવસ્થા, વેન્ટીલેટરની વ્યવસ્થા, ડોકટરો અને સ્ટાફનો અભાવ બીમારોને લઇ જવા માટે એમ્બ્યુલન્સનો અભાવ, દવાના સ્ટોકનો અભાવના કારણોસર અસરગ્રસ્ત લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા રહેતા અને રહે છે કારણ કે ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી અને મંત્રાલય તેમજ ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા કોઇપણ જાતની ગંભીરતા ન લઇ કૌવીડ સેન્ટરો ઉભા ન કરી નિષ્ફળતા દાખવી છે. જેના પરિણામ સ્વરૂપ અસરગ્રસ્ત લોકોને મોત મળેલ છે.
આ તમામ મોત પાછળ ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રી અને મંત્રાલય, તેમજ ગુજરાત આરોગ્ય વિભાગ જવાબદાર હોય જેથી કરી તમામ જવાબદારો વિરુદ્ધ માનવ વધ અને ફરજ માં બેદરકારી દાખવવાનો ગુન્હો દાખલ કરવો. કોરોના રૂપી ચેઈનને ફેલાવવામાં નાગરિકો માસ્ક વિના ફરતા હોય અથવા તો માસ્ક નાક નીચે આવી ગયું હોય તો ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતાને સોંપાયેલ ફરજથી રૂા. 1000 /- નો દંડ વસુલ કરાય છે. તો માનવ વધનો ગુન્હો ગુજરાત સરકાર આરોગ્ય મંત્રી અને મંત્રાલય તેમજ ગુજરાત આરોગ્ય વિભાગ વિરુદ્ધ શા માટે ન નોંધાવવો જોઈએ ?
ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાતના નાગરિકો કાયદા અને નિયમનો ભંગ કરે તેના સ્વરૂપે તેઓને દંડ ફટકારવામાં આવે છે. એફ.આઈ.આર. નોંધી જવાબદારો વિરુદ્ધ ગુન્હાઓ દાખલ કરવામાં આવે છે તો પછી કોરોના રૂપી મહામારીના વિકરાળ સ્વરૂપમાં સરકારની નિષ્ફળતાથી જરૂરી ઘર વપરાશની વસ્તુઓ, શાકભાજીઓ અને દવાઓના કાળા બજારને નાથવામાં જવાબદારો નિષ્ફળ ગયેલ છે. તો જવાબદારી કોની ? શા માટે ભાવને નિયંત્રણ માં લાવી શકાતા નથી ? આ અંગે લગત ખાતા દ્વારા ક્યાં પ્રકારની ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. શા માટે ભાવને નિયંત્રણમાં લાવી શકાતા નથી?
આવી પરીસ્થિતીમાં અસરગ્રસ્તોને પ્રાઈવેટ વાહનોમાં લઇ જવાની ફરજ પડાય છે અને પ્રાઈવેટ વાહન નો માલિકો અસરગ્રસ્તનો પરિવારજનો પાસેથી બેફામ રૂપિયા પડાવેલ છે. ગુજરાત રાજ્યના તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્યમાં ચાલતી પ્રાઈવેટ લેબમાં ડોકટરો દ્વારા લખી આપવામાં આવતા ટેસ્ટ કરવાના બે થી ત્રણ ગણા રૂપિયા વસુલવામાં આવે છે અને કોઇપણ જાતના બીલો અપાતા નથી સવાલ એ છે કે આ લેબ ચલાવવા જે શરતે મંજુરી આપવામાં આવેલી તે મંજુરી નું પણ પાલન કરવામાં આવતું નથી. તેમના પુરાવા લેબ રહેલા સી.સી.ટી.વી. કેમરા ફૂટેજ માં કેદ થયેલા છે. જે તાકીદે સીઝ કરવા જેથી કરી કોણ શું કામગીરી કરી રહ્યું છે તેની જાણ થાય અને શરત નો ભંગ થયેલ છે તે સાબિત થાય.
ગુજરાત રાજ્યના તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી પ્રાઈવેટ હોસ્પિટલો માં પણ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં ન સ્વીકારાતા લોકો આ હોસ્પિટલ માં સારવાર લેવા અને પોતાનો જીવ બચાવવા જતા હોય છે પરંતુ આ હોસ્પિટલ ચલાવવા જે શરત ના આધીન રહી હોસ્પિટલની મંજુરી આપવામાં આવેલ છે તેમના નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે અને સારવારના નામે ઊઘાડી લુંટ ચાલુ છે હોસ્પિટલ કે ડોકટરો દ્વારા આ અંગે કોઇપણ પ્રકાર ના ટ્રીટમેન્ટ ના બીલો ન આપી મોટીમસ રકમ ફી ના નામે લેવામાં આવે છે. તેમના પુરાવા હોસ્પિટલ માં રહેલા સી.સી.ટી.વી. કેમરા ફૂટેજ માં કેદ થયેલા છે. જે તાકીદે સીઝ કરવા જેથી કરી કોણ શું કામગીરી કરી રહ્યું છે તેની જાણ થાય અને શરત નો ભંગ થયેલ છે તે સાબિત થાય.
આમ સરકાર દ્વારા જનતા (નાગરિકો) નું જતન કરવાને બદલે ભ્રષ્ટાચાર ફેલાવવાનું કૃત્ય ચાલી રહ્યું છે ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રી અને મંત્રાલય તેમજ ગુજરાત આરોગ્ય વિભાગ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે અને માણસો ને મોત મળે છે જેથી સરકાર જવાબદાર ડીપાર્ટમેન્ટ, જવાબદાર મંત્રી અને જવાબદાર અધિકારી વિરુદ્ધ માનવ વધ અંગે એફ.આઈ.આર. નોધવી સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી દ્વારા રજૂઆત કરાઈ છે.