Mysamachar.in-જામનગર:
જામનગર PGVCL કચેરીમાં ગેરરીતિઓ શોધવા જવી પડે તેમ નથી, એક શોધો ને તેર મળે તેમ છે,તેવો ઘાટ સર્કલમાં ઘડાયો છે, વાત જાણે એમ છે કે હજુ તો ગઈકાલે જ mysamachar દ્વારા માત્ર એક જ અહેવાલ PGVCLની વીજચોરીની ચોક્કસ મોડસ ઓપરેન્ડીને લઈને પ્રકાશિત કરવામાં આવ્યો ત્યાં જ કેટલાક જાણકારો માહિતી આપવા આગળ આવ્યા છે, અને PGVCLમાં ચાલતી ગેરરીતિને ઉજાગર કરી રહ્યા છે. ગ્રાહકો પાસેથી નાણાનો ધોકો પછાડી પોતાનો ખૌફ બતાવતી PGVCLની એક-એક હકીકતો હવે ઉજાગર થવા લાગી છે,જેમાં વધુ કેટલાક ચોંકાવનાર કિસ્સાઓ સામે આવ્યા છે, ખાસ કરીને ડીજીટલ મીટરમાં જયારે અસાધારણ ડીફેકટ જેમ કે ડિસ્પ્લે ઓફ થઇ જવું કે વગેરે વગેરે જોવા મળે ત્યારે જે તે ડીજીટલ મીટરને બેંચ પર ચઢાવ્યા પછી પણ મીટર સાથે શું ચેડા થયા છે, તે બહાર ના આવવા દેતા લેબોરેટરીના ચબરાકો રોજકામમાં એવું દર્શાવે છે કે મીટરને રી-પેપર પેક કરી ઉત્પાદક કંપની પાસે મોકલવામાં આવશે અને ત્યાંથી જે તે મીટર અંગેનો કોઇપણ નિર્ણય આવશે તે બન્ને ને એટલે કે કંપની અને ગ્રાહકને બંધનકર્તા રહેશે,
અહિયાં સુધી સમજ્યા પણ ખેલ હવે શરુ થાય છે,..જેમાં રસપ્રદ બાબત તો એ છે કે છેલ્લા દસકાથી આવા રોજકામ કે જેમાં કંપનીને મીટર મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હોય એવા ગ્રાહકોના નામ મીટરની સંખ્યા અંગે કોણ ખુલાસો કરી શકે તેમ છે? અને કંપની એ ચેક કરેલ મીટરોનો રેકોર્ડ છે કે કેમ? અને આવા કેટલા ગ્રાહકોને મીટર ના આખરી કંપનીના આખરી અહેવાલ મુજબ પુરવણી બીલો આપ્યા છે? તેવા સવાલો ઉઠ્યા છે.. સુત્રો તો ત્યાં સુધી કહે છે કે આવા મીટરો ખરેખર કોઈ કંપની સુધી પહોચતા જ નથી અને અહી જ સમગ્ર મામલા રફેદફે કરી નાખીને ચોક્કસ આવડતવાળા કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ખેલ પાડવામાં આવે છે. તો પછી સવાલ એ થાય કે આવી કાર્યવાહીનો મતલબ શું જેમાં કશું થવાનું જ નથી, તો પછી કરવા ખાતરની આવી કામગીરી અને મલાઈ તારવવાની “પ્રેકિટસ” લાંબા સમયથી ચાલી રહી છે, અને વામન જેવાની ઓથ મેળવીને કામ કરતા કોઈ નું કાઈ થતું નથી તેવો ચણભણાટ PGVCLમાં સાંભળવા મળે છે.