Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા ચોક્કસ પ્રકારના ખાનગી વાહનો ચાલે છે, તેમજ લોગબુક મેન્ટેન કર્યા વગર બીલ બને પણ છે અને તે બીલ વસુલાય પણ છે અને બે હાથે સરકારી નાણા લાં…….બા સમયથી ઉસેડાય છે, તે ટ્રાવેલ્સ અગાઉ ACB મા ઝડપાયેલ અને સસ્પેન્ડ થયેલા “રાજ” નુ તરકટ છે, અને તેની કળા પાછળ અમુકનો સાથ સહકાર પણ છે માટે હવે સઘન તપાસ થવી ઘટે તેમ જાણકારોનો મત છે, ત્યારે પ્રશ્ન એ છે કે આ બાબતે ગંભીર રજુઆત મુદાસર થશે અને બીલના પુરાવાઓ તેમજ હાસ્યાસ્પદ રીતે તેમા દર્શાવાતી વિગતોના ડોક્યુમેન્ટસ જે સુત્રોએ પુરા પાડ્યા છે.
તેના સહિત તપાસ મંગાય તો કળા કરનારની હાલત શું થાય? તે સહેજે સમજી શકાય તેમ છે.. આ ટ્રાવેલ્સ કોનુ છે તે બાબતથી કોર્પોરેશનના પદાધીકારીઓ અને મોટા અધીકારીઓ કોઇ અજાણ નહિ હોય તે તો પાકુ જ છે ત્યારે જાણકારોનુ માનીએ તો આ ટ્રાવેલ્સ કોર્પોરેશનના જ એક કર્મચારી જેના પાર્ટનર છે. તેનુ છે જે કર્મચારી વારંવાર ફોટાઓમા ચમકે છે અને સુવર્ણ શોખીન પણ છે જો કે આ જાણકારોનુ માનીએ તો તેણે આ બાબતે ઉંડા પાયા ગાળ્યા છે, એટલે આ બેઠી બેસુમાર આવક કોઇ અટકાવી શકે તેમ નથી તેવો અહમ પણ ઉભરે છે અને મુછે તાવ દે છે કે આપણને કંઇ ન થાય (હા થાય ત્યારે કોઈ બચાવવા ના આવે તે આ ભાઈને ખબર છે કારણ કે જે સાહેબને પોતાની શક્તિ લગાવી અને યથાયોગ્ય સેવા પૂરી પાડતા તે સાહેબની હાલત શું છે)
ત્યારે હવે જોઇએ આ બાબતની તટસ્થ તપાસની માંગણી એક અરજદાર દ્વારા કરવામાં આવી છે, જો તપાસ પુરાવા સાથે મંગાય તો ભગવાનના નામથી આ ટ્રાવેલ્સ ચલાવી ભ્રષ્ટાચાર આદરાય છે તે નૈતિક રીતે પણ અયોગ્ય તો છે જ તેમ પણ સનસનીખેજ વિગત પુરી પાડતી વખતે સુત્રોએ ઉમેર્યુ છે.
વિશેષ પ્રકાશ પાડતા સુત્રોએ એમ પણ ઉમેર્યુ છે કે જે દરેક વાહનો જે ખાનગી ભાડે રાખેલા છે તેના બીલ એક જ ચોક્કસ ટ્રાવેલ્સના જ વધુ છે અને શંકાસ્પદ છે તેવુ કેમ? કોર્પોરેશને ઓલ્ટરનેટ ટ્રાવેલ્સ કેમ રાખ્યુ નથી? ઉપરાંત આ ચોક્કસ ટ્રાવેલ્સ ઉપર કોર્પોરેશનનો વિશેષ પ્રેમ કેમ છે? તેમજ ખાનગી ટ્રાવેલ્સ નક્કી કરવા જુદા-જુદા ટેન્ડર મંગાવેલા છે કે એક જ પાર્ટીએ અસ્તિત્વમા ન હોય તેવા વધુ બે નામથી ક્વોટેશન ભરેલા છે? તે વેધક સવાલનો જવાબ કળા કરનાર જાણે જ છે. ખાસ કરીને લોગ બુક મેન્ટેન કરવામા પણ દલાતરવાડી જેવો ઘાટ દેખાય છે સાથે-સાથે પેટ્રોલ ડીઝલના અમુક બીલ પણ શંકાસ્પદ છે તેમ સમગ્ર તલસ્પર્શી અભ્યાસ કરતા તારણ નીકળે છે.
-પાસીંગ ખાનગી..!!!.બીલમા દલાતરવાડી જેવો ઘાટ….આટલી જંગી રકમમાં તો વાહન વસાવી શકાય
જામનગર કોર્પોરેશનના કૃપાપાત્ર અને પ્રિતિપાત્ર ખાસ પસંદગી કળશ જેના ઉપર ઢોળાયો છે તેવા આ ટ્રાવેલ્સના વાહનો તો ખાનગી પાસીંગના છે. તેવી સ્ફોટક માહિતિ એક જાગૃત નાગરીકને મળી છે. તેમજ કોર્પોરેશન વાહન ભાડે રાખે છે. તેટલા ખર્ચમા તો નવા વાહન વસાવી શકે અને કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાયવરો પણ રાખી શકે પરંતુ તેમ ન કરવાના બદલે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચી મનપા આ ખાનગી ટ્રાવેલ્સના વાહનો ઉપયોગમા લે છે. અથવા વાહન ઉપયોગમા લીધા તેવા બીલ જે બને છે. જેનાથી “ચોક્કસ” લોકોને ફાયદો હશે તે વાત પણ ચોક્કસ છે તેમ પણ સંશોધન કરતા તારણ નીકળે છે જો કે અરજદારની અરજી બાદ આ મામલે કેવી તપાસ થાય છે તે જોવાનું છે.