Mysamachar.in-જામનગર:
જ્યારે કોઇ કર્મચારી કે અધીકારીઓ એસીબી કે ઇન્કમટેક્સ જેવા વિભાગોના ઝપટે ચડે ત્યારે અનેક ચર્ચાઓ થાય તેમજ આવા ઝડપાયેલાઓની બદનામી પણ થાય જોકે અમુક એવા પણ છે કે તપાસ સમયે નરમ ઘેસ અને ગરીબડી ગાય થયા બાદ છુટ્યા પછી કે સસ્પેન્શન બાદ ફરી નોકરીમા લાગે ત્યારે બેશરમની જેમ માથુ ઉચુ કરી ફરતા હોય છે, તપાસ રીમાન્ડ ઉલટ તપાસ વગેરે ભુલી અમુક તો બેવડા જોરથી લાભ ક્યાથી મળશે તેમાં ફરી પરોવાય જાય છે, અને ખર્ચમા ગુમાવેલુ ફરી કવર કરવામા લાગી જાય છે કેમકે જે આદત અને દાનત હોય તે ધોળા દિવસે તપાસના તારાઓ જોયા બાદ પણ બદલતી નથી ત્યારે પ્રદુષણ બોર્ડના અધીકારીએ પણ ગળા કરવાની જે આદત અને શોખ પાળ્યા છે તે તેમની તપાસ પુર્ણ થયા બાદ એવી જ રંગત જમાવશે તેમ તેઓને નજીકથી જાણનારાઓ જણાવી એમ પણ ઉમેરે છે કે હાલ પણ તેઓને કોઇ અફસોસની લકીર દેખાતી નથી તેવી અઠંગતા તેમને પાળી છે,
બીજી તરફ વારંવાર ઘરે પાંખો ખંખેરવા જનાર સુત્રેજાએ રોકડ પાંચ લાખ લઇ સફર કરી તો તે જંગી રકમ કોનુ ગળુ કરી ખંખેરી હશે તે પણ તપાસમાં આવરી લેવુ જોઇએ કેમકે લાંચ આપવી કે લેવી બંને ગુનો જ ગણાય છે તો સુત્રેજાને જંગી રકમ કોઇ એકે આપી કે જુદા-જુદા સ્થળોએથી મેળવેલા લાભ છે? તે તપાસનો વિષય છે કોઇકે કંઇક ખોટુ કર્યુ હશે અથવા ભાઇ સુત્રેજાએ કરવા દીધુ હશે તો જ જંગી રકમ મળી હોય તે સ્વાભાવિક છે તો જ્યા-જ્યા ખોટુ થયુ હોય તેની લગત વિભાગ કે વિભાગોએ અલગથી તપાસ કરી દાખલો બેસાડવો જોઇએ,
દરમ્યાન હાલ તો સુત્રેજાએ કોનુ ગળુ કર્યુ હશે તે ચર્ચાએ જોર પકડ્યુ છે કેમકે રાજકોટ અને જામનગર તેમજ દ્વારકા જિલ્લો તેમનુ કાર્યક્ષેત્ર છે,.. અને તેમાં ઉત્પાદન એકમો સહિત ઉદ્યોગોના પરદુષણ નિયંત્રણના માપદંડો …..બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટની કાર્યવાહીના રજીસ્ટ્રેશન વગેરે સુધરાઇ મહાપાલીકાના સોલીડવેસ્ટ મેનેજમેન્ટના ઓથોરાઇઝેશનની બાબતો…..માઇનીંગ એક્ટીવીટીમા પ્રદુષણ નિયંત્રણ….બંદરો પરના પ્રદુષણ નિયંત્રણ કરવા માટેની કામગીરી કરવા આયાત નિકાસકારોની પ્રદુષણના પોઇન્ટ ઓફ વ્યુથી દેખરેખ…..ક્લીયરન્સ માટેની મંજુરી કે અભિપ્રાય…..નમુના પરીક્ષણ બાદ પગલા લેવાના થાય તે….ઇન્સ્પેક્શન દરમ્યાનની જુદી-જુદી તપાસ….તેમજ એકંદર હવા જમીન પાણીના પ્રદુષણ નિયંત્રણ કરવાના પગલા સહિત દરેક પ્રકારના વેસ્ટ મેનેજમેન્ટ મોનીટરીંગ સહિતની અનેક બહોળુ કાર્યક્ષેત્ર હોવાથી ક્યાંકને ક્યાકથી બહોળો લાભ મળે તે સ્વાભાવિક છે, હા તે માટેની કળા હોવી જોઇએ માટે આ દરેકમાંથી ક્યાકથી ગળુ કરાયુ હોય તેવુ બને કેમકે જામનગર દ્વારકા રાજકોટ એમ ત્રણ જિલ્લાઓ કાર્યક્ષેત્ર હોવાથી આ જિલ્લાઓમાં ખુબ બહોળા પ્રમાણમાં ઉદ્યોગો હોઇ સુત્રેજાની તો પાંચેય આંગળીઓ ઘીમાં અને ઘી કળાઇમાં જેવી માલદાર સ્થિતિ હોઇ અઢળક નાણા રળ્યા હોય તેવા મત જાણકારના છે જો કે આવી ચર્ચાઓથી કાઈ ના થાય તેના માટે પણ ઠોસ તપાસ થાય તો જ સત્ય બહાર આવે…
માટે જે રકમ સાથે સુત્રેજા ઝડપાયા તે સિવાયની અનેક વખતની ડીલીંગની રકમો વખતો-વખત પોતાના ઘરે કે ક્યાય નાણા છુપાવવાના સ્થળે પહોંચાડી હોવાની શક્યતાઓ નકારી શકાતી ન હોય તાજેતરની બેહિસાબી રકમ સહિત દરેક મળી આવેલા નાણાઓ ઉપરાંત સંપતિઓ રોકાણો અને રોકડની સઘન તપાદમાં ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ પણ ઝંપલાવે તો નવાઇ નહી.. હાલ તો કોનુ ગળુ કર્યુ?? કોના તરફથી ભ્રષ્ટાચારની રકમ મળી ?? જામનગર, દ્વારકા કે રાજકોટમાંથી કોનો લાભ લઇ જબરી રકમ મેળવી ઘરે મુકવા જતા ઝડપાતા આવુ તો નિયમિત થતુ હશે તે બાબતને પ્રબળ સમર્થન મળે છે.,જો કે આ તમામ બાબતો વચ્ચે એસીબીએ તો માત્ર જાણવાજોગ નોંધી અને તપાસ શરુ કરી છે, પછી હવે જે બહાર આવે તે અલગ…
સલામત રીતે લાંબા સમયથી ચાલતા આ સીલસીલામાં ભાઇ સૂત્રેજાને માટે ઘરના જ કોઇ ઘાતકી સાબિત થયા હશે કે બહારના કોઇ ખુબ સક્ષમએ ઘડો લાડવો કરાવ્યો કે પછી તેની કનડગતનો ભોગ બનેલાએ બાતમી આપી કે ભાગનો હક હોવા છતા જેને ભાગ ન મળ્યો હોય તેણે છેક ઉપર ચોક્કસ વિગતો આપી હશે…..વગેરે વગેરે બાબતો તો ભાઇ સુત્રેજાએ જ વિચારવાની છે અને તપાસ કરનારે કોના કોના ગળા કરી કેટલુ ઘર ભેગુ કર્યુ તે તપાસવાનુ રહે છે માટે જોઇએ આ કેસ કેટલા તબક્કે પહોંચે છે જોકે આવા કેસ બનતા જ રહે છે સંખ્યાબંધ ટ્રેપ બાદ પણ ભ્રષ્ટાચાર બેરોકટોક ચાલે છે જે માટે મજબુત ગઠબંધન હોય છે અને જેમ સુત્રેજાએ ગળા કર્યા તેમ અવિરત ગળા કરવાના કારસા ચાલ્યા જ રાખે છે.