Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજસમસ્યાઓ થી પરેશાન છે, વારંવારની સ્થાનિક કક્ષાએ રજુઆતો છતાં નક્કર પરિણામ મળતા નથી ત્યારે આજે રોષે ભરાયેલા ખેડૂતો સ્થાનિક પીજીવીસીએલ કચેરી ખાતે પહોચ્યા હતા, ખેડૂતોનો આક્ષેપ છે ક ખેતીવાડી માં સમયસર વીજ પુરવઠો નહિ મળવાની વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉભો મોલ સુકાય જવાની ભીતિ 8 કલાક પુરી વીજળી નહિ મળતી હોવાની ફરીયાદો છતાં નિરાકરણ આવતું નથી, કાલાવડ પેટા વિભાગીય કચેરીના નિકાવા સર્કલના નાયબ ઈજનેરને આજે ફરી 100 થી વધુ ખેડૂતો એ રજુઆત કરી તે વેળાએ કાલાવડ ના કોંગી ધારાસભ્ય પ્રવીણ મુસડીયા અને ખરેડી જિલ્લા પંચાયત ના સભ્ય જે.પી.મારવીયા પણ દોડી આવ્યા હતા અને તેવોએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું.