Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણના કિસ્સાઓમાં ભારે વધારો થઇ રહ્યો છે, અને બે છેડા ભેગા ના થતા છેવટે લોકો જિંદગી ટૂંકાવી લે છે આવી જ વધુ એક ઘટના જામનગર શહેરમાં સામે આવી છે.સી ડીવીઝનમાં નોંધાયેલ વિગતો મુજબ ત્રણ માળીયા આવાસ બ્લોક નં.-12 રૂમ નં.-22 માં વસવાટ કરતા 39 વર્ષીય કિશોરભાઇ કન્નાડભાઇ ચંદ્રસીએ ધંધો સરખો ચાલતો ન હોય અને ધરમા આર્થીક ભીંસ ચાલતી હોય જેથી આર્થીક સંકળામણથી કંટાળી જઇ પોતે પોતાના હાથે ધરમાં અંદર આવેલ બારીમાં લોખંડની ગ્રીલમાં સાડી વડે ગળાફાસો ખાઇ લઇ અને જિંદગી ટૂંકાવી લીધાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.