Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનને જંગી આર્થીક નુકસાન કરનાર કોર્પોરેશનના ટેકસ ઓફીસર નંદાણીયા સામે તપાસ મંગાતા ખળભળાટ મચી ગયો છે કેમકે આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સનો પુરાવા સાથેનો ખાનગી અહેવાલ કમિશ્નર સમક્ષ પહોંચી ગયો હોઇ કલર પકડે તેવા સંજોગો સર્જાયાનુ જાણકારો કહે છે અને કોર્પોરેશનમા જોરશોરથી હાલ તો ચર્ચાતા આ વિષયમા એમ પણ ઘુસપુસ થાય છે કે હવે આ બાબત બહાર આવી હોય પોતે શરણુ શોધવા અને સાંગોપાંગ પાર ઉતરવા અમુક સાથે સમાધાન અમુક સમક્ષ માફા માફી અમુક સમક્ષ સંબંધ અને ફાયદો કરાવ્યાની દુહાઇ આપી પોતાને બચાવવા અપીલ કરવાનુ વિચારી રહ્યાનુ પણ ચર્ચાય છે,
હાલ મહાનગરપાલિકાના ટેકસ ઓફીસર તરીકે ફરજ બજાવતા નંદાણીયા દ્વારા મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થાય તે પ્રકારે કામગીરી કરી રહ્યા હોય તેવુ આ અહેવાલ પરથી માલુમ પડેલ છે વધુમાં મનપાના ભાજપના એક સિનિયર કોર્પોરેટરે જણાવી ઉમેર્યુ છે કે પોતાના અંગત હિત સમાયેલ હોય તેવી બિનરહેણાંક પ્રોપર્ટીઓને રહેણાંક પ્રોપર્ટીની કેટેગરીમાં સમાવેશ કરી કોઇ ચોકકસ ઇસમોને લાભ આપવામાં આવી રહ્યો છે.જેના પુરાવાઓ અમારા દ્વારા એટલે કે કમિશ્નરને પત્ર લખનાર સીનીયર કોર્પોરેટર દ્વારા એકત્ર કરવામાં આવેલ છે. જેને પણ આ સાથે સામેલ રાખી કમિશનરને સાદર કરવામાં આવ્યા છે, આવી બિનરહેણાંક કોમર્શીયલ પ્રોપર્ટીઓને રહેણાંક પ્રોપર્ટીની કેટેગરીમાં સમાવેશ કરવાથી મહાનગરપાલિકાને બહુ મોટું આર્થિક નુકશાન નંદાણીયા દ્વારા પહોંચાડવામાં આવેલ છે,
કમિશ્નર સમક્ષ તપાસ માંગતી આ લેખીત રજુઆતમા આ સિનીયર કોર્પોરેટરે વધુમાં ઉમેર્યુ છે કે જે તે સમયે કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા આ બાબતે ફાઇલ પર નોટીંગ પણ કરવામાં આવેલ કે, લગત કર્મચારીને મહાનગરપાલિકાની આર્થિક જવાબદારી આવતી હોઇ તેવી કોઇપણ પોસ્ટ ઉપર ચાર્જ નિમણુંક આપવી નહી. જે બાબતને ધ્યાને લઇ તાત્કાલીક આપ દ્વારા લગત કર્મચારીની જગ્યાએ અન્ય અધિકારી-કર્મચારીને ચાર્જ તાત્કાલીક આપવો જોઇએ.જેથી મહાનગરપાલિકા વધુ આર્થિક નુકશાન ન જાય આથી આપ તાત્કાલીક આ બાબતે તટસ્થ તપાસ કરશો તેમ પણ કમિશ્નરને લખ્યુ છે, બીજી તરફ કમિશનર વિજય ખરાડી આ બાબતે સઘન રીતે કાર્યવાહી ચોક્કસ કરશે તેવી આ સિનીયર કોર્પોરેટરને અપેક્ષા હોય તે સ્વાભાવિક છે,.
-નોટીસને ઘોળી પી જતા એરપ્રુફ અધીકારી હજુ “વાયુ” ગતિમા
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ટેકસ ઓફિસર દ્વારા ટેકસ શાખાની અને જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠા હાની પહોચે અને મહાનગરપાલિકાની આવકને નુકશાન થાય તે પકારનું કૃત્ય આચરવામાં આવી રહયું છે. આ બાબતે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા તેઓને સતત સૂચનાઓ આપવામાં આવેલ છે. લેખિતમાં નોટિસ પણ આપવામાં આવેલ છે અને મેસેજ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. પરંતુ ટેક્સ ઓફીસર જી.જે.નંદાણીયા સૂચનાઓનું સતત અવગણના કરી પોતાની મનમાની ટેકસ શાખામાં ચલાવે છે. જેના હિસાબે જામનગર મહાનગરપાલિકાને આવકને ખૂબજ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહયુ છે. પરંતુ એરપ્રુફ અધિકારી હજુ વાયુ ગતિમા જ છે પરંતુ આ મામલે તપાસ થશે અને જો પુરાવાઓને આધારે આ સમગ્ર મામલો સાચો ઠરી આવશે અને પગલા લેવાશે ત્યારે કેવી હાલત થશે?? તેવા સવાલ ચર્ચાય છે,
-વાવડાનુ પ્રભુત્વ, મીલકતવેરા અધીકારીના કૌભાંડ બહાર આવ્યા…સરકારને જંગી નુકસાન સામે પોતે ગજવા ભર્યાની ચર્ચા.?આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા પુરાવાઓ સાથે કમિશ્નરને કરાયેલા ખાનગી રિપોર્ટમા જણાવાયુ છે કે ટેકસ ઓફિસર જી.જે.નંદાણીયાને 2006 પછીના કારપેટ એરિયા મિલ્કતવેરાના તમામ અપડેશનની સતા સીનીયર ટેકસ ઓફિસર બી.એન.લટ્ટા તા. 31-3-18 ના નિવૃત થયા બાદ સોંપવામાં આવેલ છે. આ સતાનો દુરૂપયોગ તેઓ દ્વારા કરવામાં આવી રહયો છે.ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ 205 અલગ-અલગ હેતુઓ માટેના લે-આઉટ મંજુર થયેલ છે જે પૈકી કુલ 141 જેટલા લે-આઉટમાં આંતરીક સુવિધાઓ અંગેના એન.ઓ.સી. મળી ગયેલ હોવાથી બાંધકામ વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે. જે તમામ લે-આઉટ મહાનગરપાલિકાના ટેકસ રેકર્ડમાં અપડેટ કરવાના રહે છે. તા. 31-3-18 બાદ બીનખેતી થયેલ અને મંજુર થયેલ લે-આઉટ અપડેશનમાં ઔદ્યોગિક હેતુના મંજુર થયેલ 8 લે-આઉટ રહેણાંક હેતુમાં અપડેટ કરવામાં આવેલ છે. તેમાં પણ તમામ લે-આઉટ અપડેટ કરવાની જગ્યાએ માત્ર અમૂક જ લે-આઉટ અને તે પૈકીના અમુક પ્લોટો જ તેઓ દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે,
આ બાબતે ટેક્સ ઓફીસર નંદાણીયાને છેલ્લા ઘણા સમયથી મૌખિક સૂચનાઓ આપી આ પ્રવૃતિઓ બંધ કરવા પણ જણાવેલ છે તેમ છતાં પણ તેમાં હજુ કોઈ સુધારો આવેલ નથી. જેના હિસાબે જામનગર મહાનગરપાલિકાની રેવન્યુ આવકમાં માતબર નુકશાની થયેલ હોવાનો ગંભીર ઉલ્લેખ આ ખાનગી અહેવાલમાં કરવામાં આવ્યો છે.હજુ અન્ય આવી ઘણી બાબતો માપણી અંગે પ્રોપર્ટી અપડેશનમા ગેરરિતીઓ સહિતથી કોર્પોરેશનની ટેક્સની એટલે કે સરકારની આવકને જંગી નુકસાન કરી પોતે મિલકતધારકોને લાખોના લાભ અપાવી પોતે ગજવા ભર્યાની ચર્ચા જાગી છે જે અંગે વધુ તપાસ થાય તે જરૂરી છે જોકે કમિશ્નરને મોકલાયેલ અહેવાલમા આ નાણાલાભનો સંકેત હોવાનુ અનુમાન છે,પણ સત્ય તપાસ બાદ જ સામે આવી શકે છે.
-મનપામા ખળભળાટ કેમકે સિનિયર કોર્પોરેટરે કોર્પોરેશનના હિતમા માંગી છે તપાસ
આમ માત્ર ને માત્ર સરકારી ખુરશી પર બેસીને પોતાની મનમાની ચાલવતા જામનગર શહેરની આવકના મુખ્ય સ્ત્રોત સમી મિલકતવેરા શાખામાં ફરજ બજાવતા જી.જે.નંદાણીયાના કરતૂતો તેમના જ વિભાગના ઉચ્ચ અધિકારી એવા જીગ્નેશ નિર્મલ દ્વારા સામે લાવવામાં આવતા મનપામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, અને આ મામલે ઉચ્ચ તપાસના ભણકારા પણ વાગી રહ્યા છે, કારણ કે જીગ્નેશ નિર્મલ દ્વારા જે અહેવાલ અને હજુ પણ કેટલાક ચોકાવનારા પુરાવાઓ કમિશ્નર સમક્ષ રજુ કરવાના છે તેનાથી એક મોટો ઘટસ્ફોટ થવાની પૂરી સંભાવનાઓ જાણકારો સેવી રહ્યા છે. આ ખળભળાટ તેમજ ઘટસ્ફોટની ઘડીઓ એટલે ગણાય છે કે આ અંગે તપાસ કોર્પોરેશનના હિતમા ભાજપના સિનિયર કોર્પોરેટરે તપાસ માંગી છે તેમજ અમુક જાણકારો જુદી-જુદી તપાસનીશ સરકારી એજન્સીઓમા ફરિયાદ દાખલ કરવાની ગતિવિધીમા હોવાનુ સુત્રો કહે છે.