My samachar.in:-જામનગર
જામનગર જિલ્લામાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ખનનને લગત વિધાનસભામાં ધારાસભ્ય વિક્રમ માડમે સવાલ ઉઠાવ્યો હતો તા. 31/12/2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં ડી.સી.સી. કંપની (કમળ સીમેન્ટ) દ્વારા ગેરકાયદે ખનન કરાતું હોવા અંગેની કેટલી ફરિયાદો મળી ? મળેલ ફરિયાદો અન્વયે શા પગલાં લેવામાં આવ્યા અને છેલ્લા બે વર્ષમાં કંપની દ્વારા ગામમાં ક્યા પ્રકારની જમીનમાં કેટલું ગેરકાયદે ખનન કરેલ હોવાનું સામે આવ્યુ? પ્રશ્નના પ્રત્યુતરમાં સરકારમાં ખાણખનીજનો હવાલો સંભાળતા મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતું કે…
તા. 31/12/2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં ડી.સી.સી. કંપની (કમળ સીમેન્ટ) દ્વારા ગેરકાયદે ખનન કરાતું હોવા અંગેની 05 ફરિયાદો મળેલ છે. તા. 09/11/2021ના રોજ દિગ્વિજયસિમેન્ટ કંપનીની સ્થળ તપાસ કરી કારણદર્શક નોટીસ આપવામાં આવેલ છે.આમ છેલ્લા બે વર્ષમાં ડી.સી.સી. કંપની (કમળ સીમેન્ટ) દ્વારા ચોરબેડી ગામમાં સરકારી પડતર જમીનમાં 398.76 મે.ટન મુખ્ય લાઈમસ્ટોન ખનિજ ગેરકાયદે ખનન કરેલ હોવાનું સામે આવેલ છે. તે મુજબનો પ્રત્યુતર ખાણ ખનીજ વિભાગના મંત્રીએ વિધાનસભામાં વિક્રમભાઈ માડમ દ્વારા પુછેલ જમીનના ગેરકાદે થતા ખનન ના સંબંધમાં આપેલ છે.