Mysamachar.in-ગુજરાત:
કોવિશિલ્ડ નામની કોરોના રસીની આડ અસરો અને માઠી અસરો અંગે, રસી બનાવનાર કંપનીએ ખુદે અદાલતમાં કબૂલાત કરી લીધી છે કે, આ રસીથી માણસના શરીરમાં લોહીના ગઠ્ઠા બંધાઈ જવાની સંભાવનાઓ હોય છે. અને, આ પ્રકારના કલોટીંગથી માણસનું હાર્ટએટેક જેવા કારણોથી મોત પણ થઈ શકે છે. આ હકીકત બાદ વધુ એક મોટાં સમાચાર બહાર આવ્યા છે.
કોવિશિલ્ડ નામથી ભારતમાં રસી વેચનાર કંપનીએ પોતાની રસીનું વેચાણ બંધ કરી દીધું છે. આ ઉપરાંત ભારત અને યુરોપના દેશોમાં જ્યાં જ્યાં હાલ આ રસીનો જે સ્ટોક પડ્યો છે, તે સ્ટોક પણ કંપનીએ પરત ખેંચી લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત અને યુરોપના દેશોમાં આ કોવિશિલ્ડ રસી વિરુદ્ધ લોકોમાં ભારે ગુસ્સો છે, સરકારો દબાણમાં છે. આથી કંપનીએ આ નિર્ણયો કરવા પડ્યા છે. જો કે કંપની પોતાના બચાવમાં એમ કહે છે કે, રસીની ડિમાંડ સપ્લાય કરતાં ઓછી છે માટે સ્ટોક પરત લેવામાં આવી રહ્યો છે. જો કે રસીનું વેચાણ શા માટે બંધ કરી દેવામાં આવ્યું છે, તે અંગે કંપની એક પણ શબ્દ બોલી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 50-60-70 વર્ષના તો ઠીક 15-25-35 વર્ષના સ્વસ્થ લોકો પણ મોતનો શિકાર બની રહ્યા છે. અને, તબીબો એવી સૂફિયાણી વાત કરે છે કે, શારીરિક શ્રમને કારણે આમ બનતું હોય છે. તો શું યુવાનોએ હાથ બાંધી બેસી રહેવાનું ? એવો પ્રશ્ન પણ ઉઠે છે. બીજો પ્રશ્ન એ પણ છે કે, આ પ્રકારના યુવા મોતના કિસ્સાઓમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમનો હજુ ઉપરથી આદેશ શા માટે નથી થયો. કરોડો લોકો આ આખા ચકકરથી ખૂબ ચિંતિત છે અને ફફડી રહ્યા છે.
(તસ્વીર સૌજન્ય ગુગલ)