Mysamachar.in-જામનગર:
હાલમાં કોરોના વાયરસની દહેશતને જોતા તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાઓ ભરીને આ વાયરસથી લોકોને કેમ દુર રાખી શકાય તેના પ્રયાસો ચાલી રહી છે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રણમલ લેઈક સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક, અને જામરણજીતસિંહજી પાર્ક આવતીકાલથી માંડીને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિણર્ય મનપા દ્વારા કરવામાં આવ્યો છે.