Mysamachar.in-જામનગર:
ભારત દેશમાં અનેક વિદ્વાન લોકોએ તેમના અસંખ્ય નિવેદનો અને સૂચનો વર્ષો પહેલાં દર્શાવ્યા હતા અને એકવીસમી સદીમાં પણ આ નિયમો અને સૂચનો કેટલા અગત્યના છે તે વાસ્તવિકતા વર્તમાન કોરોનાની મહામારીમાં પ્રકાશમાં આવવા પામી છે, સાથો-સાથ એ કહેવતને પણ સમર્થન સાંપડયું છે કે જૂનું એ સોનું આજના આધુનિક યુગમાં શહેરના લોકો મોટા મોલમાં ખરીદી કરવા તેમજ શોપિંગમોલમાં જવા માટે એકબીજાને હરીફાઈ કરી રહ્યું છે લોકોને આજના યુગમાં તમામ પ્રકારની હાઈ ફાઈ સુવિધા ઓ જોઈએ છે પરંતુ કોરોના ની મહામારી ના પગલે આવી અધતન સેવાઓ બંધ થતાં ગુજરાતના બજારોમાં ફરી કરિયાણાની દુકાન ઉપર ગ્રાહકોને લાંબી કતારો જોવા મળી છે જેથી એ બાબતો સ્પષ્ટ થાય છે કે લોકો આ સમયમાં કવોલિટી નહીં પણ ચીજ વસ્તુઓ મેળવી રહ્યા છે તેની સાથે આવા લોકો જૂની બાબતો ને પ્રાધાન્ય આપતા જોવા મળે છે.