Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનમા રોસ્ટર રજીસ્ટર બનાવવામાં SC STને અન્યાય કરાયો કેમકે કુલ જગ્યા નહી ને ખાલી જગ્યાના અનુપાતમા રોસ્ટર અમલ કરી આ વર્ગને ખુબ બહોળા ફાયદાથી વંચિત રાખે છે, તે બધુ જ કોર્પોરેશનના જે લોકો જવાબદારો સૌ કોર્પોરેશનની આબરૂના લીલામ કરે છે તેના નામના અને તેઓના કારસાના પર્દાફાશ થયા છે જેમા નામ જોગ પર્દાફાશ થતા જામ્યુકોની આ ચોકડી જે વંચિતોને અન્યાય કરે છે તે ખુલ્લુ પડ્યુ છે. વળી આ કારસા માનવઅધિકાર ભંગ સમાન છે કેમકે રોસ્ટર રજી.ગોટાળા બહાર આવતા સનસની તો મચી છે…! સાથે સાથે હવે શુ થશે? તે પ્રશ્નોના જવાબ પણ આ સમગ્ર રજુઆત વખતે રજૂઆતકર્તા આનંદ ગોહિલએ લેખીતમા જણાવ્યુ જ છે તે બાબત ખુબ ગંભીર છે અને હવે જામનગર કોર્પોરેશન જેને કચડે છે તે વર્ગની ન્યાય માટે રાજ્યવ્યાપી મુહીમનો જામનગરથી પ્રારંભ થનાર હોય રાજ્યભરમા પડઘા પડશે માટે શાસક પક્ષના સતાવાળાઓ પર ભીંસ વધી છે.
-સમગ્ર કારસાને SC-ST ને કચડવાની મેલી મુરાદનો પર્દાફાશ
ત્રણે રોસ્ટર રજીસ્ટર બનાવનાર રોસ્ટર અધિકારી, રોસ્ટર સંપર્ક અધિકારી અને વહીવટી અધિકારીના નામ અરજીમાં દર્શાવ્યા પ્રમાણે અનુક્રમે આ રીતે એટલે કે વર્ષ 2008માં રોસ્ટર અધિકારી તરીકે મુકેશ વરણવા, રોસ્ટર સંપર્ક અધિકારી તરીકે મુકેશ કુંભારાણા અને વહીવટી અધિકારી તરીકે મયુર ભાગવત હતા
2012માં રોસ્ટર અધિકારી તરીકે મુકેશ કુંભારાણા રોસ્ટર સમ્પર્ક અધિકારી તરીકે પણ મુકેશ કુંભારાણા અને વહીવટી અધિકારી તરીકે ચન્દ્રવદન મહેતા હતા,
2021માં રોસ્ટર અધિકારી તરીકે એ.કે.વસ્તાની રોસ્ટર સમ્પર્ક અધીકારી તરીકે પણ એ.કે.વસ્તાની અને વહીવટી અધિકારી તરીકે જી.જે.નંદાણીયા છે.
-રોસ્ટર તૈયાર કરી અન્યાય કરનારા કોણ કોણ છે?મહત્વના સનસનીખેજ પાસાઓ
રોસ્ટર અધિકારીઓ પૈકીના એક માત્ર હાલના ડેપ્યુટી કમિશ્નર એ.કે.વસ્તાની સીધા સરકારમાંથી આવેલ બાકીનાની હિસ્ટ્રી પણ રોચક છે, ત્યારે બાકી રહેતા પાંચેય અધિકારી કર્મચારી જામનગર મહાનગરપાલિકાના કર્મચારી છે. અને આશ્ચર્ય થાય છે કે ત્રણ રોસ્ટર પૈકી એક પણ રોસ્ટરમાં ભરતીના રોસ્ટરમાં આ પાંચ પૈકી કોઈ કર્મચારીનું નામ જ નથી સીધા દેવના દીધેલ હોઈ તેમ બઢતીના રોસ્ટરમાં જ આ લોકો સ્થાન ધરાવે છે. આ પાંચ કર્મચારી પૈકી એકનું અવસાન થયેલ છે.જયારે બાકીના કર્મચારીનીની હિસ્ટ્રી આશ્ચર્ય પમાડે તેવી છે અરજીમાં જણાવ્યા મુજબ મુકેશ કે. કુંભારાણા વર્ગ ચાર ના કર્મચારી તરીકે ભરતી થયેલ અને આસી. મ્યુની. કમિશ્નર તરીકે નિવૃત થયેલ, મુકેશ વરણવા ભરતી પ્રોગ્રામર તરીકે એટલે કે ઈજનેરની જગ્યા,ટેકનીકલ જગ્યામાં ભરતી થયેલ અને ગોવિદ જે નદાણીયાની ભરતી સેનેટરી સબ ઈન્સ્પેક્ટર એટલે કે SSI તરીકે ટેકનીકલ જગ્યામાં થયેલ ત્યાંથી આ લોકો વહીવટી અધિકારી કઈ રીતે બની ગયા તે પણ તપાસનો વિષય છે. જયારે ચંદ્રવદન મહેતાની ભરતી ફાયર શાખામાં ક્લીનર તરીકે થયેલ હતી.
-જામ્યુકો ચોકડીની સંસ્થા છે કે શું?
અરજીમાં જે સણ સણતા આક્ષેપો છે તે પ્રમાણે આ ચોકડીએ આ સંસ્થાને ગોબાચારીનો અખાડો બનાવી દીધો છે.?આવા સવાલ સાથે આક્ષેપ કરાયો છે, એટલે સુધી કે સમાજ કલ્યાણ વિભાગના નાયબ સચિવ પી.એચ.સર્વાકરના અધ્યક્ષપદે આવેલ રોસ્ટર રજીસ્ટર ચકાસણી ટીમના આદેશની અવગણના કરીને આદેશમાં જામનગર મહાનગરપાલિકાના ઉપલબ્ધ રોસ્ટર રજીસ્ટરો પરથી કેડરવાર સીધી ભરતી અને બઢતીના બેકલોગ તૈયાર કરીને અમલવારી અર્થે સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છે. જેનો પણ અનાદર કરેલ છે. આ હુકમની અમલવારી કરેલ નથી જે બેકલોગ આજદિન સુધી હજુ બેકલોગ તરીકે જ યથાવત છે. એવી જ રીતે ડૉ બુટા સિંધ ચેરમેન રાષ્ટ્રીય અનુસુચિત જાતી આયોગની સુચનાને પણ આ ઉપરોક્ત અધિકારીઓ ઘોળીને પી ગયેલ અને પોતાના મનસ્વી રીતે વર્તન કરીને 2008 ના પ્રમાણિત થયેલ રોસ્ટર રજીસ્ટર મુજબ જ 2021 અને 2021નુ રોસ્ટર રજીસ્ટર બનાવેલ છે જે બતાવે છે કે આ અધિકારીઓ મનુવાદી માનસિકતાથી પીડાય છે,જેના સચોટ પુરાવો. આ સાથે સામેલ પત્રક મુજબ વર્ષ 2008 ના પ્રમાણિત થયેલ સીધી ભરતીના રોસ્ટર રજીસ્ટર પાના નંબર-10 પરના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર વર્ગ ની જગ્યામાં 35-2 પરના અનુસુચિત જાતિના કર્મચારીના નામની આગળ જાતી સૂચક શબ્દ લખેલ છે. આ પ્રકારના જાતી સૂચક શબ્દ લખેલ હોઈ તેવું અમારા માનવા મુજબ ગુજરાતનું આ એક માત્ર પ્રમાણિત થયેલ રોસ્ટર રજીસ્ટર હશે. તેમ આનંદ ગોહિલ અને આનંદ રાઠોડ એ વિસ્તૃત વગત આપતી વખતે ઉમેર્યુ છે,
-જવાબદારો સામે એટ્રોસીટી એક્ટ મુજબ પગલા લો
આ તમામ હકીકતો સરકારના વખતો વખતના ઠરાવો અને પરિપત્રો આ રોસ્ટર રજીસ્ટર બનાવનાર રોસ્ટર અધિકારી-રોસ્ટર સંપર્ક અધિકારી અને વહીવટી અધિકારી તેમજ તેને પ્રમાણિત કરનાર શહેરી વિકાસ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ અને ઉપસચિવ વિરુધ્ધ એટ્રોસિટી એક્ટ કે કાર્યવાહી થવી જોઈએ. તેમ પૂરી ગંભીરતાથી લખીને કમીશનર અને સરકારના વિવિધ વિભાગો દ્વારા 1997 થી લઇને સને 2019 સુધી સતત આ લોકોને રોસ્ટર રજીસ્ટર નિયત નમુના મુજબ ચોકસાઈ પૂર્વકના બનાવવા લેખિત અને મોખિક સૂચનાઓ આપેલ છે.તેમ છતાં આ લોકોની કહેવાતી માંલાફાઈડ પ્રેક્ટીસને કારણે કેટલાક કર્મચારીઓ પોતાના સંવેધાનિક હક્કથી વંચિત રહી ગયા છે. અને કેટલાય નિવૃત થયા તો કેટલાય મૃત્યુ પણ પામ્યા છે. શું આ લોકોને તેનો હક્ક હવે પાછો આપી શકીશું ? માટે, ભવિષ્યમાં બીજા કોઈ કર્મચારી પર આવું ના થાય તેટલા માટે અને આવી જવાબદારી વાળી જગ્યા પરના અધિકારીઓને કાયદાની ભાન રહે અને આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે તે માટે થઇને પણ આ અધિકારીઓને સજા મળવી જ જોઈએ અમો આ વાત પૂરી સભાનતાથી કહીએ છીએ અને આ વાત અમો સાબિતી અર્થે આપ કહો એ સમયે રેકર્ડ સાથે આપ સમક્ષ હાજર રહીશું.અને ચોક્કસ પરિપત્રને ધ્યાને લઈને આપ આ ઓરીજીનલ રોસ્ટર રજીસ્ટરો આપના કબ્જામાં લઇ લેશો. કેમ કે અમોને એટલે કે રજુઆતકર્તાને દહેશત છે કે આવા લોકો હજુ પણ મા છેડ છાડ કે ચેડા કે તેનો નાશ કરવાના પ્રયત્નો કરશે જ અને ભવિષ્યમાં આ ઓરીજીનલ રજીસ્ટરો નામદાર અદાલત સમક્ષ રજુ કરવાની જરૂરિયાત ઊભી થાશે. તેથી તે આપના કબજામાં રહે તે સર્વેના હિત માં છે. તેમ રજૂઆતના અંતમાં લખવામાં આવ્યું છે.
-રોસ્ટર અન્યાય સામે SC ST વર્ગનો સામુહીક રાજ્યવ્યાપી મુહીમનો જામનગરથી પ્રારંભ
આ રોસ્ટર સુધારણાની પ્રક્રિયાને એક મુહિમ તરીકે શરુ કરીને પુરા ગુજરાત રાજ્યમા અમલકર્તા કરીશું અને ભવિષ્યમાં આને એક રાજ્ય અને દેશ વ્યાપી અંદોલન બનાવી અને આવા અધિકારીઓને કાયદાનું ભાન કરાવવાની ચીમકી આ લેખીત રજુઆતમા કરવામા અને આપવામા આવી છે
-નિષ્ણાંતોનો વ્યુ આ સમગ્ર મામલાના વ્યુઝ
ડીએમસી આ સમગ્ર વિસ્તૃત અને ગંભીર મામલે એમ જણાવે તે પણ ઉતાવળથી…..કે અમે સરકારના શહેરી વિકાસ અને સામાજીક ન્યાય વિભાગ પાસે મંજુર કરાવીએ છીએ અને અન્યાય નથી કરતા માટે રજુઆત પાયા વિહોણી છે…..તેમ કહી ચુપ થય જાય છે પરંતુ આ અંગેના સવાલથી જ તેમની મનની સ્થિતિમા આ મુદે ડામાડોળ થયાનુ વસ્તાણી જ્યારે ઉતર આપતા હતા ત્યારની બોડી લેગવેજ પરથી તારણ કાઢવુ હોય તો નિષ્ણાતો કાઢી શકે છે…
વળી કોર્પોરેશનને ચિંતા એ છે કે ઉપાડ ખોટો થયો તે ઇરાદો મલીન છે માટે બધુ જ ફેરવવુ પડે ડામાડોળ સ્થિતિ થાય અને શાસન પ્રશાસનને ગંભીર નુકસાન થાય સતાધારીઓને શરમાવું તો પડે જ સાથે લોકપ્રિયતા ઉપર પણ ગંભીર અસર થાય…..વગેરે વગેરે ગંભીર ચિંતાની બાબત જામ્યુકો માટે હાથે કરી ભોગવેલા નુકસાનકારક બની શકે છે,.. માટે જવાબદારો પૈકી અમુકના પેટ વછુટ્યા છે અમુકના વેગ વધ્યા છે ત્યારે સમગ્ર પણે SC ST ને કોર્પોરેશનમા ભરતી બઢતીમા અન્યાય કરવાનુ જે પચ્ચીસ વરસથી કારસ્તાન ચાલે છે તે અન્યાય સામેનો જંગ ખુબ સંવેદનશીલ ગણાશે ત્યારે વંચીતોની પીડીતોની છેવાડાના વર્ગની શોષીતોની નબળા વર્ગની રાજ્યને કેન્દ્રની ભાષણોની કહેવાતી સરકારની હાલત શુ થશે? માનવ અધીકારનુ ભંગ થયો અવિરત તેનુ વળતર કેમ ચુકવશે? વગેરે અનેક વ્યુઝ સમીક્ષકોએ જણાવ્યા છે.