Mysamachar.in-ગાંધીનગર:
એક તરફ દેશભરમાં કોરોના વાયરસનો કહેર છે, અને લોકડાઉનના આદેશ કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રને સહકાર આપવાને બદલે લોકો ઘરની બહાર બિનજરૂરી નીકળીને આ રોગને આવકાર આપી રહ્યા છે, ત્યારે અનેક એવા સરકારી કર્મચારીઓ છે જેઓ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યાં છે. તેમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સફાઈ કર્મચારીઓ, મીડિયા અન્ય જરૂરી વિભાગના કર્મચારીઓ પોતાના અને પરિવારના જીવની પરવાહ કર્યા વગર હાલ પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
ત્યારે આવી કપરી પરિસ્થતિમાં દાહોદ ખાતે ફરજ બજાવતા PSI પી.કે.જાદવના મોટાભાઈનું 24 માર્ચ, 2020ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું.મોટાભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પીએસઆઈ જાદવે પરિવારને સાંત્વના આપી અને તરફ અમદાવાદથી દાહોદ આવી કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ ગયા. પીએસઆઈની આ કામગીરી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની તસવીર સાથેની ટ્વિટ કરી પ્રસંશા કરી હતી, જેથી અન્ય લોકો પણ જાગૃત થાય અને પોલીસની આ કપરી ક્ષણને સમજી શકે.