Mysamachar.in-જામનગર
એવુ કહેવાય છે કે ભાજપ પક્ષ શિસ્તમાં માને છે તો જામનગર બીજેપીમાં (આમ તો દરેક મહાનગરોમાં) કોર્પોરેશન ચુંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ અસંતોષનો અગ્નિ ભભૂક્યો અને રજુઆતો આક્રોશ વિરોધ રાજીનામા બીજા પક્ષમાંથી ઉમેદવારી વગેરે ખેલ પડ્યા તો ભાજપની શિસ્તના તો લીરા ઉડ્યા ને?? અત્યાર સુધી જે શાંતિ હતી તે માત્ર ઉમેદવારી કરવા મળશે તે આશાથી જ શાંતિ ભાજપમા હતી ને? એવો અર્થ હાલના ભડકા ઉપરથી થાય છે.
બીજી તરફ જાણકારો એવી દલીલ કરે છે કોર્પોરેટર થવા ઉમેદવારી કરવા આટલા બધા ધમપછાડા શું કામ? જો સેવા કરવી છે તો કોર્પોરેટર થયા વિના પણ થઈ ન શકે.? આટલો ટિકિટ નો મોહ શું કામ રખાય છે? તેના કારણો અને તારણો પણ ઘણા છે. કેમકે કેટલાક તો એવા કાર્યકર્તાઓ અને આગેવાનો છે કે ટિકિટ આપો તો પક્ષ બાકી તેમને ને પક્ષને કાઈ નહિ ?? મતલબ એ શંકા ઉભી થાય કે આમાં લોક સેવાનો હેતુ છે કે પોતાની સેવાનો હેતુ છે?? તેમ ખુબ મોટી સંખ્યામા લોકોમાં ચર્ચા થાય છે.