Mysamachar.in-જામનગર
ધનની જુદી-જુદી ગતિ શાસ્રોમા દર્શાવી છે તેમા સદકાર્ય દાન ધર્મ માટે ધનનો યોગ્ય ઉપયોગ એ શ્રેષ્ઠ ગતિ છે સનાતન પરંપરાના નિતિશાસ્રના આ સિદ્વાંતને માત્ર જાણવો જ નહી ચરિતાર્થ કરનાર જામનગરના શ્રેષ્ઠી-મહાજન અને પ્રતિષ્ઠીત લાલ પરિવારની સેવા પાણી થી માંડી પોષણ સુધીની અવિરત છે, તાજેતરમા યુવાનો માટે ક્રિકેટ કાર્નિવલ હોય કે આંખના દર્દીઓ માટે ભવ્ય કેમ્પ હોય સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલજીના જન્મદિવસની અનોખા આવા સેવાકાર્યથી ઉજવણી હોય……લાલ પરિવારના ટ્રસ્ટના માધ્યમથી થતી સેવાકીય પ્રવૃતિઓના આયોજનમાં રાત દિવસ એક કરનાર જીતેન્દ્ર એચ.લાલ એ જ્યેષ્ઠ બંધુ અશોક લાલનુ વખતો-વખત સઘન માર્ગદર્શન લેતા રહે છે, તો સાથે સાથે મિતેષ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજલાલ પણ ખભે ખભા મીલાવી સેવાયજ્ઞ દીપાવે છે તે ભાવના પરિવારના સંસ્કાર દીપાવે છે તેમ આદર્શતાના આગ્રહીઓનો મત છે,
કેમકે સમગ્ર પરિવાર તેમાય યુવાન અને પોતાના ક્ષેત્રના માસ્ટર્સ એવા જીતુભાઇ લાલના પુત્ર ભત્રીજાઓ જેઓ બીઝનેસ અને એક્સલન્સીના ફીલ્ડમા લેન્ડમાર્ક અચીવર છે તે સૌ ડાઉન ટુ અર્થ રહી વેરીયસ સોશ્યલ એક્ટીવીટીઝમા દાદા, દાદી, માતા પિતાના આદર્શ જીવન કાર્યોમા હોંશ હોંશે જોડાય અને પોતાના ક્ષેત્રોની વ્યસ્તતા વચ્ચે ઓતપ્રોત થય ને પોતાની પણ આગવી ઓળખ પ્રસ્થાપીત કરી રહ્યા છે તે સંસ્કૃતિ જતન સમાન છે તેમ પરિવાર ભાવના મહત્વના સિદ્વાંતો મુલવનારા સૌ સહેજે કહે છે તેમજ ગણેશ ઉત્સવના આયોજકોના સત્કારના ભવ્ય સમારોહની નગરમા પોઝીટીવીટી છવાઇ છે ત્યા હવે 108 સમુહલગ્નનો ભવ્ય વિવાહ સંસ્કાર સમારોહ લાલ પરીવાર યોજી રહ્યા છે જે માટે સમગ્ર લાલ પરીવાર તન મન ધન થી શ્રેષ્ઠ આયોજન માટે ઓતપ્રોત જોવા મળે છે,
લોહાણા સમાજના પ્રમુખ સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના બબે વખત પ્રમુખ અનેક પ્રાદેશીક અને રાષ્ટ્રીય સંસ્થાઓમા ડાયરેક્ટર મેમ્બર કો ઓપ્ટ હોવા છતા એ જ સાદગી સૌને મળે સૌને મહત્વ આપે તેવા જીતુલાલની ખ્યાતિ એક બુલંદીને ટચ કરે છે તેવો સમાજશાસ્રીઓ અને વિશ્લેષકોનો બહુમુલ્ય અભિપ્રાય છે, હા તેમના માટે પ્રચારની કોઇ જરૂર જ નથી તેમના સાલસ સ્વભાવ સાથેની લોકો વચ્ચે રહેવાની નેમ આરોગ્ય સેવા શિક્ષણ સેવા વિવિધ સાધન સહાય પુસ્તકોની સેવા અન્નદાન સેવા ધાર્મિક સંસ્થાઓમા સેવા કેમ્પ રમતજગત યુવા વિકાસ દીકરીઓના ઉત્કર્ષ માટેના કાર્યો સહિત અનેકવિધ સેવાકીય અવિરત યજ્ઞો જ તેમની પ્રસિદ્ધી દર્શાવે છે.
સાથે સાથે શીપીંગ સહિતના જહેમતવાળા ઉદ્યોગક્ષેત્ર જુદા જુદા ક્ષેત્રના બીઝનેસ પારીવારીક જવાબદારી બેસ્ટ મેનેજમેન્ટ અને પ્રોપર ડીસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક ની ગટસ ખરા સમયે ખરો નિર્ણય…..વગેરે ઘણી બધી ખાસીયત તેમને રાજ્યસરકારના પુર્વ મંત્રી પિતા તરફથી વારસો છે અને તે સદગુણ તેમને સમયની માંગ મુજબ જાતે કેળવ્યા છે તો માતુશ્રી તરફથી ધર્મ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમનો વારસો મળ્યો છે,
એકંદર કોઇ પ્રસંશા કરવાની જરૂર ન પડે તેવા મુઠી ઉચેરા માનવી જે.એચ.લાલ હાલ અનેકવિધ સેવા પ્રકલ્પો હાથ ધરી અવિરત સેવા કરી રહ્યા છે જેનો જામનગરવાસીઓ આજુબાજુના લગત વિસ્તારના જરૂરીયાતમંદો વિદ્યાર્થીઓ દિવ્યાંગો રમતવીરો દીકરીઓ બેરોજગારો લોહીનીને સારવારની જરૂરીયાતવાળા દર્દીઓ સહિત દરિદ્ર નારાયણો બહેનોની સંસ્થાઓ યુવા સંસ્થાઓ તાલીમી સંસ્થાઓ વૃદ્ધાશ્રમો અનાથઆશ્રમો વગેરેમા મળી અસંખ્ય ક્ષેત્રમા લાલ પરીવારની જેને કહેવાય જમણા હાથે દાન આપ્યુ હોય અને ડાબા હાથને ય જાણ ન થાય તેવી પ્રસિદ્ધી મોહ વગરની સેવાઓ અગણીત છે,
જામનગરના દરેક વર્ગ દરેક ક્ષેત્ર અને દરેક આયામમા પ્રગતિ થાય તે ધ્યેય સાથેની તેઓની સેવાકીય પ્રવૃતિઓ હવે બીજ માંથી ઘેઘુર વટવૃક્ષ બની છે જેના છાયડાની ટાઢક અનેક લાભાર્થીઓ સુધી અવિરત પહોંચી રહી છેઆવા સદગૃહસ્થ એ નગરનુ રત્ન ગણાય અને જરૂરીયાતમંદોનો સધીયારો ગણાય તેમજ તેઓને સંતો મહંતો ગાદીપતિઓનુ અવિરત માર્ગદર્શન અને આશિર્વાદ પ્રાપ્ત થતા રહે છે તેને જીતુલાલ અને લાલ પરીવાર સદભાગ્ય ગણે છે પુણ્ય કાર્યોની ફલશ્રુતિ ગણે છે.