Mysamachar.in:જામનગર
ગતરોજ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા વર્ષ 2023નુ ઐતિહાસિક બજેટ વિઝનરી અને પ્રોડક્ટીવ બની રહેશે તેની પ્રતિતિ સમગ્ર ભારત કરી રહ્યુ છે તેમ 12- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ કેન્દ્રીય બજેટનો અભ્યાસ પુર્ણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટીવંત માર્ગદર્શનમાં નાણામંત્રી સીતારમનજીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 2023-24 દેશનો વિકાસ-પ્રગતિ અને સ્થિરતા સાથે જન જનના સપના સાકાર કરવાનું સુનિશ્ચિત કરશે તેમજ ગૌરવપૂર્ણ રીતે એમ પણ જણાવ્યુ છે કે,
વૈશ્વિક સ્તરે ભારતના ખેતી-રોજગાર-ઉત્પાદન-શિક્ષણ-આરોગ્ય-મહિલા ઉત્કર્ષ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ટેક્સ ઉદારીકરણ સહિતના ક્ષેત્રોમાં સૌના વિશ્વાસને પ્રતિપાદીત કરતા પ્રોત્સાહક અને આદર્શ ઐતિહાસીક અને સમર્થ બજેટ માટે આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને નાણામંત્રી નિર્મલા સીતારમનજીના ખૂબ ખુબ આભારી છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર-સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરીંગ-ડીજીટાઇઝેશન-ઈનોવેશન ટેકનોલોજી-ગ્રીન એનર્જી-રીસર્ચ-બીઝનેસ-ઇન્વેસ્ટમેન્ટ સહિત આત્મનિર્ભર ભારત માટે કરેલી જોગવાઇઓથી આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્ર પ્રગતિના નામને આંબશે તેવો કૌ વિશ્વાસ પૂનમબેનએ વ્યક્ત કર્યો છે,
કેમકે ઘર આંગણાથી માંડી વૈશ્વીક સ્તરે ભારતની ઇકોનોમીને ગતિશીલતા આપતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સઘન અને વિઝનરી માર્ગદર્શન હેઠળનું કેન્દ્રીય બજેટ તમામ વર્ગનુ આ અંદાજપત્ર હોવાનું જણાવી જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમએ ઉમેર્યુ હતુ કે કૃષી પ્રધાન રાષ્ટ્રમા પ્રાકૃતિક ખેતી માટે ગોબરધન યોજના ઉપરાંત યુવાનો માટે ઉંચાઇને આંબવાની જોગવાઇઓ તો સામાન્ય વર્ગનુ જીવન સાનુકુળ કરતી રાહતો અને યોજનાઓ મહિલાઓ માટે ખાસ ફંડની ફાળવણી સિનિયર સીટીઝન માટે જીવનસંધ્યા ખીલવી તકો સહિત મુખ્ય સેગમેન્ટસમાં બજેટને નાણામંત્રી નિર્મલા સીતારમણએ વિભાજીત કર્યું છે જેમાં દરેક વિભાગમા આનુસાંગીક અનેકવિધ પ્રાવધાનો કરવામાં આવ્યા છે જે ઇકોનોમીને વેગવંતુ કરવાની સાથે પ્રજાજનોને નૈતિક હિંમત અને બહુઆયામી સુરક્ષીતતા પ્રદાન કરનાર છે.
કેન્દ્રીય બજેટ 2023-24 થી ઇન્ફાસ્ટ્રક્ચર-સ્ટાર્ટઅપ-ઇનોવેશન-મેન્યુફેક્ચર ક્ષેત્ર માટે નવી દિશાઓ ખુલશે તો આવકવેરા માળખાની ઉદારતા ભરી રાહત દરેક વર્ગને નાણાકીય લાભ અપાવશે સાથે સાથે બીઝનેસની સાનુકુળતા-શિક્ષણ-આરોગ્ય-જીડીપી માટે મજબૂતાઇ પ્રદાન થશે તેમ પણ સાંસદ પૂનમબેનએ આ તકે જણાવ્યુ છે અને રાષ્ટ્રના જન જન માટેનું બજેટ વડાપ્રધાનના ઘનિષ્ઠ માર્ગદર્શનમાં નાણામંત્રીએ આપતા વધુ એક વખત જન વિશ્વાસ કેળવનારા આ બજેટ ની આર્થીક જોગવાઇઓથી દરેક વર્ગ ખુશ થયા છે. ખાસ કરીને ગૌરવપ્રદ બાબત એ પણ છે કે અર્થતંત્રની અસ્થિરતાથી દુનિયા ડામાડોળ છે ત્યારે આ વર્ષ 2023-24 નું બજેટ ભારતને મક્કમ ગતિએ આગળ ધપાવનારૂ બની રહેશે. માત્ર ફીગર જ નહી ફેક્ટસ અને ફીલીંગ્સ સાથેનુ “સૌના પ્રયાસ” ને ગતિશીલ કરતુ આદર્શ બજેટ એ આઝાદી અમૃત કાળની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશને વિકાસની હરણફાળરૂપી ભેંટ સમાન હોવાનુ જણાવ્યું છે,
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ એ એમ પણ જણાવ્યું છે કે રાષ્ટ્ર એકજુથ થઇ નયા ભારતના નિર્માણ માટે કટીબદ્ધ થયુ છે ત્યારે આઝાદીના અમૃતકાળનું આ બજેટ ભારતની આર્થિક સ્થિતિને વધુ ને વધુ સ્થિરતા સાથે પ્રગતીનું ઇજન આપી આપણી અર્થવ્યવસ્થાને સુદ્રઢ કરનારૂ છે. સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ સૌના પ્રયાસથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરતા સમાન અને સમાંતર તેમજ સર્વાગી વિકાસ છેવાડાના માનવી સુધી દરેક સુવિધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ ક્ષમતાને ઉજાગર કરવાની અનેક દિશાઓ ગ્રીન સેક્ટર ગ્રોથ યુવાશક્તિને ગગનવિહાર માટે હજુય સાનુકુળતાઓ નાણા ક્ષેત્રને સ્થિરતા સાથે મજબુતાઇ પ્રદાન કરવાની સાથેના આ બજેટમાં 56 એપ્સ તૈયાર કરવાની પ્રયોગશાળાઓ બનશે જે ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિકારી કદમ બની રહેશે.
નોંધપાત્ર છે કે વર્ષ 2014 થી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારએ દેશવાસીઓના જીવનને વધુ ગુણવત્તાસભર અને ગરિમાપૂર્ણ બનાવ્યું છે. વ્યક્તિદીઠ આવક વધીને 1.97 લાખ રૂપિયા થઈ છે. છેલ્લા 9 વર્ષમાં અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમી સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થાના રુપમાં આગળ વધી રહી છે અને હજુય ઊર્જા સુરક્ષા ક્ષેત્રમાં 236 હજાર કરોડનું રોકાણગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત 2030 સુધી 5 MMT વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં 20,700 કરોડનુંથશે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા પીએમ પ્રણામ યોજના લોન્ચ કરાશે અને ગોબરધન યોજના અંતર્ગત 500 નવા પ્લાન્ટની સ્થાપના થશે.
તો પ્રાકૃતિક ખેતી માટે 10 હજાર બાયો-ઇનપુટ રિસોર્સ કેન્દ્રો સ્થાપિત થશે. સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર્સ સ્થાપિત થશે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4,0 ની શરૂઆત થશે, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.75,000 કરોડનો ખર્ચ કરાશે, 50 નવા એરપોર્ટ અને હેલીપેડનું નિર્માણ થશે શહેરી વિકાસ માટે વાર્ષિક 10,000 કરોડ ખર્ચાશે જેમાં આવાસ યોજનાઓને પણ પ્રાધાન્ય અપાશે સાથે સાથે મહામારીથી પ્રભાવિત MSME સેક્ટર ને રાહત આપી ભારતના અર્થતંત્રની મજબુત હિસ્સો બનાવાશે સામાજીક ભૌગોલીક ઉત્પાદકતા ઉપલબ્ધતા સાથે જરૂરીયાત ને લક્ષ્યમાં લઇ વિવિધ વર્ગો માટે તેમના વિસ્તાર તેમના વ્યવસાય તેમની ક્ષમતા તેમની પરંપરા દરેક ને ધ્યાને લઇ દેશના દરેક રાજ્યો પ્રદેશોને સાનુકૂળ યોજનાઓ અને સુવિધાઓ સાથે રાષ્ટ્રનિર્માણની કટીબદ્ધતા આ બજેટમાં ઉભરી આવી છે તેમ પણ આ તકે સારાંશમાં સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ છે.