Mysamachar.in:જામનગર
આજના સમયમાં અલગ અલગ વિષયો પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે તેમના પરિવારજનોને કોઈ કહે કે લાવો તમારું એડમીશન કરાવી આપીશ…પણ રૂપિયા થશે… તેવા લોકોથી ચેતવા જેવો એક કિસ્સો જામનગર જીલ્લાના જામજોધપુરથી સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થીનીને કોલેજમાં એડમીશન તો ના મળ્યું પણ લાખો રૂપિયા પણ ગુમાવવાનો વારો આવતા ત્રણ શખ્સો સામે જામજોધપુર પોલીસ મથકમાં છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.જામજોધપુરના બાલવા સ્ટેશન પાસે રહેતા અને મજુરી કામ કરતા રામજીભાઇ બાબુભાઇ ઝીંઝુવાડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ રેખાબેન જેન્તીભાઇ ઝીંઝુવાડીયા રહે ત્રીવેણી પાર્ક, અમદાવાદ, જેન્તીભાઇ મોહનભાઇ ઝીઝુવાડીયા, વીશાલ જેન્તીભાઇ ઝીંઝુવાડીયા રહે બન્ને મધુરમ સોસાયટી જુનાગઢ આ તમામે રામજીભાઈની દિકરીને મેંટોસ પેરા મેડીકલ કોમ્યુનીટી કોલેજ અમદાવાદમા એડમીશન અપાવવા માટે રૂ.5,70,000 અલગ અલગ રીતે મેળવી ફી પેટે રૂ.10000 ભરી બાકીના રૂ.5,10,000૫, આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમા લઈ વાપરી નાખી પુરી ફેસેલીટી ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.