• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું જોખમ વધુ

My Samachar by My Samachar
May 17, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું જોખમ વધુ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જીલાલ વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્‍લા પ્રભારી સચિવ લોચન શહેરા તથા જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના સંકલનમાં વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્ર સજ્જ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું ઝોખમ વધુ રહેતું હોય છે. વાવાઝોનાની સંભવિત અસરને પહોંચી વળવા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજયકક્ષાએથી આવતી માર્ગદર્શિકા પ્રમાણે જિલ્‍લા તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. દરીયાઇ વિસ્‍તારમાં આવેલા જિલ્‍લાના દ્વારકા તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે. નિચાણવાળા વિસ્‍તારોમાંથી 10090 ને સ્‍થાળાંતર કરવાના થતા તૈ પૈકી 6815 ને સ્‍થળાંતર કરાવાયું છે. તૈ પૈકી 400 લોકોનું સ્‍થાળાંતર ગવર્નમેન્‍ટ શેલ્‍ટર હાઉસમાં કોવિડ ગાઇડલાઇન મુજબ અને બાકીનાને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓમાં સ્‍થાળાંતર કરાવેલ છે. દ્વારકામાં 2000 અને ઓખામાં 1000 ફુડ પેકેટ બનાવેલ છે. અને સાત શેલ્‍ટર હોમ બનાવેલ છે. દરિયા કાઠાના વિસ્‍તારમાં કુલ 17 શેલ્‍ટર હોમ બનાવેલ જયાં નોડલ ઓફીસર અને સબ નોડલ ઓફીસરના ઓર્ડર કરેલ છે. જેમાં જમવા, રહેવા, રાત્રી રોકાણ, પાણી અને બાથરૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

દ્વારકાના રૂપેણ બંદરમાં મોટી સંખ્‍યામાં વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકો રહેતા હોય છે ત્‍યાં મહેસુલી તંત્ર, પોલીસ તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ તથા નગરપાલિકા દ્વારા પેટ્રોલીંગ કરી લોકોને તાત્‍કાલીક સ્‍થળાંતર કરવા તાકીદ કરેલ છે. એનડીઆરએફ ની 2 ટીમ દ્વારકામાં અને 1 ટીમ ઓખા તથા એસડીઆરએફની 1 ટીમ લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરાઇ છે. પાવર રીસ્‍ટોર માટે પીજીવીસીએલ તથા જેટકો ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્‍તારોના ગામોમાં આવેલા સસ્‍તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્‍થો ભરવામાં આવ્‍યો છે.

વાવાઝોડાની અસર વિજ પુરવઠા પર પડતી હોય છે. પણ સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવીને કોવિડ હોસ્‍પિટલોમાં તથા ઓક્સિજન સપ્‍લાયમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંતી વળવા જિલ્‍લાતંત્રને રાજય સરકારનું સતત માર્ગદર્શન મળી રહયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વાવઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. દ્વારકા ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેનો નંબર 02892 234541 અને મોબાઇલ -8511872350 છે.

-દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાને ધ્‍યાને લઇ વધુ 9 -108 એમ્‍બ્‍યુલન્‍સ સજજ કરાઇ

અરબ સાગરમાં લો પ્રેશન સાઇકલોનમાં પરિવર્તન થતા ‘‘તૌકતે’’ વાવાઝોડું આવનાર છે. જેની કચ્‍છ તેમ સૌરાષ્‍ટ્રના દરિયાકિનારાના વિસ્‍તારોમાં અસર થવાની સંભાવના છે. જેને લીધે તમામ દરીયાકાઠે આવતા વિસ્‍તારોમાં 108ની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. તે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ 9, 108 એમ્‍બ્‍યુલન્‍સ વાવાઝોડાની અસરને ધ્‍યાને લઇ હંગામી ધોરણે દ્વારકા જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના માર્ગદર્શન તળે મુકવામાં આવી છે. પહેલા 11 એમ્‍બ્‍યુલન્‍સ કાર્યરત હતી અને 9 મળી કુલ 20 108-એમ્‍બ્‍યુલન્‍સ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કાર્યરત થશે. જે સંભવિત અસરગ્રસ્‍ત વિસ્‍તારો ખાસ કરીને દરીયાઇ વિસતારને આવરી લઇ ઇમરજન્‍સી પરિસ્‍થિતિમાં ઝડપથી પહોંચી વળવા મદદરૂપ થશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

June 16, 2025
જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®