Mysamachar.in-જામનગર:
છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોચાડવા માટે સરકાર દ્વારા મનરેગાના કામોને ખુબ પ્રોત્સાહન આપવમાં આવે છે, જેના માટે સ્થાનિક થી માંડીને સરકારી કર્મચારી અધિકારીઓ અને પોતાની જવાબદારી સુપેરે નિભાવે છે કે જાણવા અને અન્ય ગામોમાં પણ લોકો જાગૃત થાય અને આવી માહિતીઓ લેવા માટે આગળ આવે તેવો પ્રયાસ એક જાગૃત અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે, વધુમાં આ અરજી એક પ્રેરણારૂપ છે કે દરેક ગામોમાં આવી યોજનાઓની શું સ્થિતિ છે તેની માહિતી પારદર્શી રીતે સામે આવે… સામાન્ય રીતે પાણી,રહેઠાણ અને રોજગાર ખેતીને લગતી સુવિધાઓ વીજળી શિક્ષણ આરોગ્ય બંધારણ મુજબ ભારતના દરેક નાગરિકને મેળવવાનો અધિકાર છે.અને છેલ્લા કેટલાક વર્ષોથી તો મનરેગા યોજના પર સરકાર સવિશેષ ભાર મૂકી અને આ યોજના હેઠળ કામોનો સમાવેશ થાય રોજગારી મળે તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પણ જે રીતે ભૂતકાળમાં કેટલાય કિસ્સાઓમાં સામે આવી ચુક્યું છે કે મનરેગા યોજનાનો લાભ લેવાને બદલે ગેરલાભ લઇ અને મોટી ગોબાચારીઓ આચરવામાં આવી હોવાના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, ત્યારે જામનગર નજીક આવેલ મિયાત્રા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના હેઠળ ચોક્કસ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કામો સહિતના મુદ્દાઓને લઈને એક જાગૃત નાગરિક એવા અરજદાર દ્વારા વિસ્તૃત માહિતી માહિતી અધિકારીના કાયદા તળે માંગવામાં આવી છે અરજદાર દ્વારા માહિતી અધિકાર તળે માહિતી માગ્યાને એક માસ જેટલો સમયપૂર્ણ થયો છતાં હજુ માહિતી મળી નથી પણ જયારે આ માહિતી સામે આવશે ત્યારે મિયાત્રા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામોમાં ગોટાળાઓ છે કે કેમ.?? તે દૂધનું દૂધ અને પાણી નું પાણી થઇ જશે અને જો મનરેગા યોજનાના કામોમાં મિયાત્રા ગામમાં જો કોઈ કથિત ગોટાળા થયા હશે તો તે પણ સામે લાવવા અને કસુરવારો સામે પગલા લેવાય તે માટે છેક સુધી લડી લેવા અરજદાર મક્કમ છે.
મોટી બાણુંગાર ગામે વસવાટ કરતા રાજેશગીરી ચંદુગીરી ગોસાઈ દ્વારા જામનગર તાલુકા પંચાયત જામનગર કચેરી પાસેથી જે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી છે તેમાં અતિ ગંભીર મુદ્દાઓનો જે સમાવેશ કર્યો છે તેના પર નજર કરવામા આવે તો
-મિયાત્રા તા.જી. જામનગર ગામે ગામ પંચાયત મિયાત્રા દ્વારા તા.1/3/2018થી 7/10/2021 સુધીમાં મનરેગા યોજના અંતરગત કયા કયા કામો કરવામાં આવ્યા. કેટલો ખર્ચ કરવામાં આવ્યો કેટલા રૂપિયા મજુરને ચૂકવવામાં આવ્યા. કેટલા રૂપિયા અન્ય એજન્સી અથવા વ્યક્તિઓને ચૂકવવામાં આવ્યા
-તા.1/3/2018 થી 7/10/2021 સુધીમાં મિયાત્રા ગ્રામપંચાયત હસ્તક કયા કયા કામો કરવામાં આવ્યા (અ) કામનું નામ (બ) મંજુર થયેલ રકમ (ક) કરેલ ખર્ચ (ગ) તમામ કામના બિલ
-તા.1/3/2018થી 7/10/2021સુધીમાં મિયાત્રા ગામ પંચાયતનું રોજમેળની કોપી
-તા, 1/3/2018 થી 7/10/2021 સુધીની મીનીટસ બુકની કોપી
-તા 1/3/2018 થી 7/10/2021 સુધીનું ગામ પંચાયત મિયાત્રાનું બૅન્ક સ્ટેટમેન્ટ આપવા ( તમામ બેન્કના ખાતાના)
આ તમામ માહિતી માહિતી અધિકાર હેઠળ માગવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ જણાવી અને કહ્યું કે મનરેગા ટેબલ સંભાળે છે તેને માહિતી આપવા માટે જણાવી દીધું છે.પણ હજુ સુધી અરજદારને નિયમમુજબના 30 દિવસ પૂર્ણ થઇ ચુક્યા છતાં મળી નથી ત્યારે હવે આ અરજદારને ક્યારે અને માગેલી માહિતી મળે છે કે કેમ તે જોવાનું છે.પણ સુત્રોના હવાલેથી જે માહિતી મળી છે તે પ્રમાણે આ અરજી તાલુકા પંચાયત ખાતે પહોચતા જ મામલો રફેદફે કરવા કેટલાય હવાતિયા મારી રહ્યાનું સામે આવે છે.
-હર હાથ કો કામ…..પણ અનેક રોજગારથી વંચિત છે તેનુ શુ.? સાંભળવા મળતી ઠોસ ચર્ચાઓ કરે છે કઇક અંગુલી નિર્દેશ
ઉલ્લેખનીય છે કે અગાઉ અછત આવતી ત્યારે અમુક માટે રાહતકામ એ એક મહત્વનો અવસર ગણાતો હતો ત્યારે હવે નરેગા મનરેગાના નામે થઇ રહેલી શ્રમીકોને રોજગાર આપવાની બાબતે ગ્રામ્ય કક્ષાએ ક્ષતિ રહે છે કે પારદર્શી કામ થાય છે કે નહી તે લોકહિતમા જાણવુ જરૂરી હોય થયેલી આ RTI અન્ય ગામોની વિગતો મેળવવાની પ્રેરણા પુરી પાડશે જ સાથે સાથે ગ્રામ વિકાસ એજન્સીમા જેમા મોટાભાગે કાયમી કર્મચારીઓના બદલે કરારાધારીત અને આઉટ સોર્સના કર્મચારી કર્મયોગી હોય તો આ યોજના વધુ અસરકારક બને પરંતુ કમનસીબે પત્રકો બનાવવાને જેટલુ મહત્વ અપાય છે તેટલુ ફીલ્ડમા સો ટકા અમલ કરાવવા તસ્દી ન લેવાતી હોવાની અમુક જાણકાર ગ્રામજનોમા ચર્ચાઓ થતી સાંભળવા મળતી હોય છે જેની ખરાઇ સુત્રો કરી રહ્યા છે.