Mysamachar.in-જામનગર
ઇન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વિસીસમાં વહીવટી બાબતોની સઘન તાલીમ તો અપાય જ છે પરંતુ અમુક IAS પોતાની વીઝનરી સેન્સ ડેવલપ કરી વિશીષ્ટ રીતે અલબત કાયદાને સુસંગત જ પરંતુ સાથે સાથે હ્યુમન ટચ સાથે કઇક એવા અલગ રીતે પ્રકરણોનુ સ્ક્રીનીંગ કરે છે કે જેથી અરજદારોને નિયમાનુસારનો ઝડપથી ન્યાય મળે છે અને સરકારમા પણ નોંધ લેવાય છે, આ બાબત તેઓના રોજ બરોજના મીટીંગ ફાઇલ નિર્ણય વિઝીટ પ્રેઝન્ટેશન યોજનાઓના અમલીકરણ સ્ટાફને પ્રેરીત કરવા સહિતની અનેક બાબતોમા ઉભરી આવે છે…આવા જ જામનગરના કલેક્ટર ડો.સૌરભ પારઘીની વિશેષતા છે કે જે અંગે રાજ્યસરકારે નોંધ લીધી છે તો સ્ટાફ અને અરજદારોને પણ આ સનદી અધીકારી પ્રત્યે હાઇ રીગાર્ડઝ છે અને હા સન્માન એ સારા કામોનો પ્રતિભાવ છે તે ખુબ જહેમત બાદ મળતુ હોય છે.,
ત્યારે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે 25 ડિસેમ્બરના ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય સુશાસન દિવસની ઉજવણીમાં દરેક જિલ્લામાંથી ક્લેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.મુખ્યમંત્રીના હસ્તે ગરવી 2 પોર્ટલ, ફિશ ક્રાફટ પોર્ટલ, મત્સ્યોદ્યોગ પોર્ટલ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ તેમજ અન્ય સેવાઓના નવનિર્મિત આધુનિક વેબસાઇટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુશાશન દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરેલ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને રૂ.51,000નો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. વર્ષ 2018-19માં જૂનાગઢ જિલ્લાના કલેકટર તરીકે સારી કામગીરી કરવા બદલ ડો. સૌરભ પારધીને જૂનાગઢ જિલ્લા માટે શ્રેષ્ઠ કલેકટરનો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. હાલ તેઓ જામનગર જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવી રહયા હોય, જામનગર જિલ્લા કચેરી ખાતેથી અધિકારીઓ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
-વહીવટમા મૃદુતા અને કાયદાપાલનનો આગ્રહ કરતા પારઘી..
વહીવટમા મૃદુતા અને કાયદાપાલનનો આગ્રહ સમન્વય એ ખુબ અઘરી બાબત છે પરંતુ આત્મ સ્ફુરણા નોલેજ અને ડીટરમીનેશનથી જે ક્ષેત્રમા હોઇએ ત્યા સમન્વય સાધી શકાય છે અને આ વર્ચ્યુ બાદમા રોજ બરોજના જીવનમા વણાય જાય છે આ જ બાબત એ કલેક્ટર પારઘીની વિશેષતા છે માટે જ કહેવાય છે કે BRAVO:જામનગરના કલેક્ટરનુ એડમીનીસ્ટ્રેટીવ વીઝન રીમાર્કેબલ છે તેમજ અરજદારોના કાર્યોમા ગતિશીલતા અને સ્ટાફને મોટીવેશન એ IAS સૌરભ પારઘીની વિશેષતા છે, સરળ સ્વભાવ, ઉમદા વ્યક્તિત્વ, સ્ટાફ ,અને નીચલા અધિકારીઓમાં એક સરળ અધિકારીની છબી ધરાવે છે સાથે સાથે નિયમના દાયરામા ચોકસાઈ પૂર્વકના કામના તેઓ આગ્રહી છે તેમજ વારંવાર આકસ્મિક તપાસો કરે છે રેકોર્ડ ચેક કરે છે અને ઇમ્પ્રુવમેન્ટ કરેક્શન અને એક્યુરસી તરફ કામ થાય તે અંગે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે સાથે સાથે સમગ્ર જીલ્લાની ગતિવિધીઓથી વાકેફ પણ રહે છે આવા કલેક્ટર સૌને ગમે.