Mysamachar.in-બનાસકાંઠા:
બનાસકાંઠા જીલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની એક ઘટના સામે આવી છે, જે ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે, જાણવા મળતી વિગતો મુજબ કારમાં સવાર પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.બનાસકાંઠાના ખોરડાં પાસે હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.