Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલના લતીપુર નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોએ જિંદગી ગુમાવી છે, આ અંગે મળતી વિગતો મુજબ ધ્રોલથી લતીપુર તરફ જતા રસ્તા પર ગોકળપર ગામ નજીક આઈસર ટ્રક RJ-04-GC-1707નો ચાલક અહીથી પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને કાર ચાલક જેના નંબર GJ-03-LG-9326ને જોરદાર ટક્કર મારી અથડાઈ જતા કારનો અકસ્માત થતા કારનો કડુસલો વળી ગયો હતો અને કારમાં સવાર લાલજીભાઈ ગોગરા, યુવરાજસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું જયારે સાથે રહેલ વિક્રમસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ થતા તેની સારવાર ચાલી રહી છે.