Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં લોકડાઉન વચ્ચે કોરોના વાયરસના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે લોકો ઘરમાં રહો સુરક્ષિત રહોનું સૂત્ર અપનાવે તે ખુબ જરૂરી છે, અને આમ કરવાથી કોરોના વાયરસને હરાવવામાં સૌ સહભાગી બની શકે છે, રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં નવા 8 કેસો સાથે પોજીટીવ કોરોના કેસોનો આંકડો 82 સુધી પહોચ્યો છે, કોરોના પોજીટીવ કેસોમાં અત્યારસુધીમાં અમદાવાદ 31, સુરત 10, રાજકોટ 10, વડોદરા 9, ગાંધીનગર 11, ભાવનગર 6, ગીર સોમનાથ 2 જયારે પોરબંદર કચ્છ મહેસાણામાં એક એક કેસ પોજીટીવ નોંધાયો છે, અને અત્યારસુધીમા 6 દર્દીઓના મોત થયાનું પણ તેવોએ માહિતી આપતા જણાવ્યું હતું.