Mysamachar.in-જામનગર:
જામનગર ખાતે વેબેક્સના માધ્યમ થકી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે જામનગરના મતદારોને 22 નવેમ્બર, 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રવિવારના રોજ નજીકની શાળા અને બુથ પર ફોર્મ ભરવા, યાદીમાં નામ સુધારવા, હાલના મત વિસ્તારમાં ફેરફાર થવા વગેરેના ફોર્મ બાબતની કામગીરી માટે બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે તેમ જણાવી જામનગરના મતદારોને લોકશાહીને મજબૂત કરવાની આ ઝુંબેશમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.હાલ જામનગરમાં વર્ષ દરમિયાનની ચૂંટણીલક્ષી કામગીરીના અંતે 2020 ના વર્ષની સાપેક્ષમાં આ વર્ષે 23 હજારથી વધુ નવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એ મતદારો માટે આગામી ચૂંટણી પહેલાં એક તક સમાન છે, જે માટે 18 વર્ષ પુરા થયા તેમના નામ નોંધાવવા કોઇ સરનામા કે વિસ્તાર કે ગામ ફેરફાર હોય તે પણ નોંધાવી શકાય લગ્ન થયાથી બહારગામ જનાર નોકરીમા બદલી થનાર વગેરે સુધારા કરાવી શકાય છે, તેમજ કોઇનુ મૃત્યુ થયુ હોય તો નામ કમી કરાવી શકાય તેમજ બે જગ્યાએ નામ મતદાર યાદીમા નથી તે ખાસ ચકાસી લેવુ જરૂરી છે
આ માટે લગત મતદાન મથકે
તા.22-11-2020 ( રવિવાર )
તા.29-11-2020 ( રવિવાર )
તા.06-12-2020 ( રવિવાર )
તા.13-12-2020 (રવિવાર )
ના રોજ સમય સવારે 10.00 થી સાંજના 5.00 સુધી બીએલઓ તેમજ સાથી સ્ટાફ ફોર્મ સાથે બેસશે જેથી મતદાન મથકે બુથ લેવલ અધિકારીને મળી વિગત મેળવી ફોર્મ ભરી શકાશે.
જેમાં નવુ નામ નોધાવવા–ફોર્મ નં-6 ,નામ કમી કરાવવુ-ફોર્મ ન-7, નામમાં સુધારો -ફોર્મ નં – 8, સ્થળ બદલવુ- ફોર્મ નં – 8 ક ભરવાનુ થાય છે, આપના પરીવાર તેમજ આપની સોસાયટી કે મહોલ્લાના તેમજ ઓળખીતા દરેક વ્યક્તિને જાણ કરવી કેમકે મતદાનએ લોકશાહીનુ પર્વ છે, તે પર્વ ઉજવવા મતદાર હોવુ જરૂરી છે, માટે અમસ્તુ નામ પણ આ દિવસો દરમ્યાન યાદીમાં છે કે કેમ તે ચેક કરાવી લેવુ જરૂરી છે.