Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લા માં NSUI ના નવા હોદેદારોની નીમણુક ઓલ ઇન્ડીયા NSUI ના પ્રમુખ નિરજ કુંદનજી અને ગુજરાત NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની મંજુરીથી કરવામાં આવેલ જેમા જામનગર શહેર જીલ્લા NSUIના પૂર્વ પ્રમુખ મહીપાલસિંહ જાડેજાની કામગીરીની નોંધ લઇને ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી તરીકે નિમણુક આપવામાં આવે છે. જામનગર શહેર રવિરાજસિંહ ગોહિલને પ્રમુખ તરીકે નીમવામા આવેલ છે. તેમજ જામનગર જીલ્લામા પ્રમુખ તરીકે સનીભાઇ આચાર્યની નિમણુક કરવામાં આવેલ છે.
આવતા દીવસોમાં NSUI વિદ્યાર્થીઓના હીતમા સદા તત્પર રહેશે તેવી નેમ NSUI દ્વારા લેવામાં આવી છે આ તકે જામનગર જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા નિમાયેલા હોદેદારોને સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા તમામ હોદેદારોને ફૂલહારથી સન્માનીત જામનગર શહેર જીલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, ડો. તોસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, અશોકભાઇ ત્રીવેદી, સહારાબેન, આનંદભાઇ ગોહિલ, કોર્પોરેટર રચનાબેન, જેનમબેન, ધવલભાઇ, દાઉદભાઇ, ભરતભાઇ વાળા, અતુલ પ્રજાપતી, વિજયસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, રત્નદીપસિંહ વાઢેર વગેરે આગેવાનો હાજર રહયા હતા.